જયપુરમાં કોરોનાના દર્દીઓને દેખભાળ કરશે રોબોટ, પૉઝિટિવ કેસની સંખ્યા 39 પર પહોંચી
જયપુરમાં કોરોનાના દર્દીઓને દેખભાળ કરશે રોબોટ, પૉઝિટિવ કેસની સંખ્યા 39 પર પહોંચી
જયપુરઃ દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના પૉઝિટિવ કેસની સંખ્યા રાજસ્થાનમાં 39 પર પહોંચીગઈ ચે. ભીલવાડામાં સ્થિતિ સૌથી સંવેદનશીલ ચે. અહીં ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફમાં કોરોના ફેલાઈ ગયો છે. 25 માર્ચ સુધી ભીલવાડામાં કોરોનાના 17 પૉઝિટિવ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.
આઈસોલેશન વોર્ડમાં બુધવારે ટ્રાયલ
કોરોના વાયરસથી સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર અને નર્સિંગની સુરક્ષાને જોતા રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રોબોટની મદદ લેવામાં આવી રહી છે. એસએમએસ હોસ્પિટલના સૂત્રો મુજબ રોબટથી હોસ્પિટલના સૂત્રો મુજબ રોબોથી હોસ્પિટલમાં કોરોનાવાઈરસથી પોઝિટિવ દર્દીઓની દેખભાળ માટે આઈસોલેશન વોર્ડને બુધવારે ટ્રાયલ આપવામાં આવ્યું, જે સફળ રહ્યું.
ચિકિત્સા વિભાગ જલદી જ કોઈ ફેસલો લઈ શકે છે
રોબોટથી દેખભાળ લઈને ચિકિત્સા વિભાગ જલદી જ કોઈ ફેસલો લઈ શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જેવી રીતે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની દેખભાળ કરનાર ડૉક્ટર્સ અને નર્સિંગકર્મીઓ માટે વિવિધ પ્રકારે અફવાઓ ફેલાઈ રહી છે.
દર્દી પાસે જઈ તેને દવા અને ખોરાક આપ્યો
જેને જોતા અને તેના સંપર્કમાં આવનાર પરિજનો અને અન્ય લોકોને બચાવવા માટે હોસ્પિટલેથી આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. ટ્રાયલ દરમિયાન રોબોટે આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ પાસે જઈ તેને દવા અને ખોરાક આપ્યો. આ દરમિયાન ડૉક્ટર અને નર્સિંગ કર્મી પણ હાજર છે.
મહારાષ્ટ્રમાં મૌલવીને કોરોના વાયરસ પોઝિટિવ, સંપર્કમાં આવ્યા 53 લોકો આઈસોલેશનમાં