"આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે કેટલાક રોહિંગ્યા મુસલમાનો"
રોહિંગ્યા મુસલમાનોના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.
રોહિંગ્યા મુસલમાનોના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ છે. કેન્દ્ર સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, રોહિંગ્યા મ્યાનમારની સીમા પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયા છે. લગભગ 40 હજારથી પણ વધુ રોહિંગ્યા શરણાર્થી ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી 16 પાનાનું એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા સહિત અનેક મુદ્દાઓનો ઉલ્લેખ છે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા મુસલમાનોનો સંબધ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો સાથે છે.

સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર અને દેશવિરોધી કામોમાં સંડોવાયેલા છે, જેમ કે ફંડની આપ-લે, માનવ તસ્કરી વગેરે. એફિડેવિટમાં સરકારે એ પણ જણાવ્યું છે કે, સુરક્ષા એજન્સિ તરફથી પણ કેટલાક રોહિંગ્યા મુસલમાનો પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાની જાણકારી આપવામાં આવી હતી. દેશમાં રોહિંગ્યા મુસલમાનોના ગેરકાયદેસર સ્થળાંતરને કારણે સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા દેશની સુરક્ષા માટે મોટું જોખમ સાબિત થઇ શકે છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ અંગે કહ્યું કે, જે પણ નિર્ણય લેવાશે, એ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાશે. મારા મતે આપણે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇએ. આ મામલે હવે પછીની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગે થશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
