રોહિતના મૃત્યુ અંગેનું ઉંડું રહસ્ય, પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ
રોહિતના મૃત્યુ અંગેનું ઉંડું રહસ્ય, પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલ સ્વ એનડીએ તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના મૃત્યુને લઈ મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહિત શેખરનું અપ્રાકૃતિક મૃત્યુ થયું છે. દિલ્હી પોલીસે કહ્યું કે ઓસિકાંથી મોઢું દબાવી રોહિતની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મામલામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ રોહિત શેખર તિવારીની પત્ની સાથે પૂછપરછ કરી રહી છે.

રોહિતનું મૃત્યુ સામાન્ય નથી- દિલ્હી પોલીસ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કહ્યું હતું કે રોહિતનું મૃત્યુ સ્વાભાવિક નહોતું. આ મામલે અજાણ્યા શખ્સ સામે આઈપીસીની કલમ 302 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. રોહિતના મૃત્યનો મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. શુક્રવારે ફોરેન્સિક અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ મામલાની તપાસ માટે રોહિતના આવાસ ઘરે પહોંચી હતી. જ્યારે આજે રોહિતની પત્ની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. રોહિત પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આ્યો હતો. તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બાદ તેની મા અને પત્ની તેને હોસ્પિટલે લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
|
પત્નીની પૂછપરછ માટે ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ
રોહિતનું મૃત્યુ થયું ત્યારે તેની માએ કહ્યું હતું કે મને રોહિત શેખરના મૃત્યુને લઈ કોઈ પર પણ કઈ પરિસ્થિતિઓને કારણે તેનું મૃત્યુ થયું તેનો ખુલાસો હું બાદમાં કરીશ. જણાવી દઈએ કે રોહિત શેખર 2017માં ભાજપમાં સામેલ થયા હતા. પરંતુ તેઓ રાજનૈતિક રીતે સક્રિય નહોતા. રોહિત એનડીએ તિવારી અને ઉજ્જવલા શર્માના દીકરા હતા.

ઓસિકાંથી મોઢું દબાવી રોહિતની હત્યા કરાઈ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માલુમ પડ્યું કે રોહિત શેખરનું મૃત્યુ અકુદરતી રીતે થયું છે. દિલ્હી પોલીસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, રોહિતની હત્યા સંભવતઃ ઓશિકાથી મોઢું દબાવીને કરવામાં આવી છે. સૂત્રો મુજબ પોલીસને સાંજે સાઢા સાત વાગ્યે જ રોહિત તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોરટ્ મળી ગયો હતો. આ કેસને દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
