દિલ્હીની મસ્જિદના ચીફ ઇમામને મળ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, જાણો શું છે કારણ
આરએસએસના વડા મોહન ભાગવતે આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુરુવારે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી અને સંઘના વડા મોહન ભાગ
આરએસએસના વડા મોહન ભાગવતે આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુરુવારે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી અને સંઘના વડા મોહન ભાગવતની બેઠક કલાકો સુધી ચાલી હતી. મોહન ભાગવતની સાથે આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા ચર્ચા કરી રહ્યા છે.
આરએસએસ પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, "આરએસએસ સરસંઘચાલક જીવનના તમામ ક્ષેત્રના લોકોને મળે છે. તે ચાલુ સામાન્ય 'સંવાદ' પ્રક્રિયાનો એક ભાગ છે.
દરમિયાન, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ એનડીટીવીને જણાવ્યું હતું કે મોહન ભાગવતે કહ્યું છે કે તેઓ વર્તમાન "અસંમતિના વાતાવરણ" વિશે ચિંતિત છે. એસવાય કુરેશી એ પાંચ મુસ્લિમ બૌદ્ધિકોમાંના એક હતા જેમણે ગયા મહિને મોહન ભાગવત સાથે 75 મિનિટની બેઠકમાં ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે મંત્રણા "સકારાત્મક" અને "રચનાત્મક" હતી અને પરસ્પર ચિંતાના પાસાઓને આવરી લે છે. આ લોકોએ ઓગસ્ટમાં બેઠકની માંગણી કરી હતી. જૂથે બેઠક બાદ દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કુરેશીએ આજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, "મોહન ભાગવતે કહ્યું કે તેઓ પણ ચિંતિત હતા." તેમણે આરએસએસના વડાને ટાંકીને કહ્યું કે, "હું દુશ્મનીના વાતાવરણથી ખુશ નથી. તે સંપૂર્ણપણે ખોટું છે. અમે એકતા સાથે જ આગળ વધી શકીએ છીએ." તેમણે કહ્યું કે ભાગવતે કેટલાક મુદ્દા શેર કર્યા જે તેમના માટે ખાસ ચિંતાના હતા. જેમાં ગૌહત્યા સૌથી આગળ હતી, જે હિન્દુઓને પરેશાન કરે છે.