For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ખાલી ખાવુ અને વસ્તી વધારવી, આ કામ તો જાનવર પણ કરે છે, શક્તિશાળી જ જીવિત રહેશે, આ જંગલનો નિયમ છે'

દેશમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તી નિયંત્રણનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. હવે આ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તી નિયંત્રણનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. હવે આ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. સંઘના વડા મોહન ભાગવતે કહ્યુ છે કે, 'માત્ર ખોરાક ખાવો અને વસ્તી વધારવી, આ વસ્તુઓ તો પ્રાણીઓ પણ કરે છે. જીવનનુ ધ્યેય માત્ર જીવવાનુ ન હોવુ જોઈએ... માનવજીવનની બીજી ઘણી ફરજો છે.' સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ નિવેદન શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી ફૉર હ્યુમન એક્સેલન્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આપ્યુ છે. અહીં તે બીજા ઘણા મુદ્દાઓ પર વાત કરે છે.

'શક્તિશાળી જ જીવતો રહેશે, આ જંગલનો નિયમ છે'

'શક્તિશાળી જ જીવતો રહેશે, આ જંગલનો નિયમ છે'

મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે, માત્ર શક્તિશાળી જ બચશે, આ જંગલનો નિયમ છે. જ્યારે શક્તિશાળી બીજાનુ રક્ષણ કરવાનુ શરૂ કરે છે, ત્યારે તે મનુષ્યની નિશાની છે. મનુષ્યના ઘણા કર્તવ્ય હોય છે, જેનુ નિર્વાહન આપણે કરવુ જોઈએ. તે સમયે-સમયે નિભાવવા પડે છે.' તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ યુએનએ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે ટૂંક સમયમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. આવી સ્થિતિમાં મોહન ભાગવતે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો મોટો તફાવત સમજાવ્યો છે.

મોહન ભાગવતે કહ્યુ - અધ્યાત્મ દ્વારા જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે

મોહન ભાગવતે કહ્યુ - અધ્યાત્મ દ્વારા જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે

મોહન ભાગવતે આ સમારોહમાં આધ્યાત્મિકતાને વિજ્ઞાન કરતા મહાન ગણાવ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે રાષ્ટ્રની પ્રક્રિયા તરત જ શરૂ નથી થઈ, તેને 1857માં સ્વામી વિવેકાનંદ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. તેથી જ આધ્યાત્મિકતા દ્વારા જ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય છે કારણ કે વિજ્ઞાન હજુ સુધી સર્જનના સ્ત્રોતને સમજી શક્યુ નથી. વિજ્ઞાને તેના ખંડિત દૃષ્ટિકોણથી દરેક વસ્તુ અજમાવી છે પરંતુ તેએ એ પણ શોધી કાઢ્યુ છે કે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. વિજ્ઞાન હજી સુધી આ જોડતી હકીકતને પણ શોધી શક્યુ નથી.

દેશના વિકાસ વિશે મોહન ભાગવતે કરી આ વાત

દેશના વિકાસ વિશે મોહન ભાગવતે કરી આ વાત

મોહન ભગવાને કહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ઘણી પ્રગતિ કરી છે. દેશમાં ઘણો વિકાસ થયો છે. મોહન ભાગવતે કહ્યુ, 'ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈતિહાસની બાબતોમાંથી શીખીને અને ભવિષ્યના વિચારોને સમજીને ઠીક-ઠાક વિકાસ કર્યો છે. જો મે આ જ વાત 10-12 વર્ષ પહેલા કહી હોત તો કોઈએ તેને ગંભીરતાથી ન લીધી હોત.

બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો

બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો

મોહન ભગવાને કહ્યુ, 'આપણે મનુષ્યોએ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો. આ કહેવત પાછળ બધુ છુપાયેલુ છે. અસ્તિત્વ એ છે જે વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે. આ વિવિધ સ્વરૂપો નાશવંત છે. પ્રકૃતિ હંમેશા નાશવંત છે પરંતુ પ્રકૃતિનો મુખ્ય સ્ત્રોત શાશ્વત અને ચિરસ્થાયી છે.'

English summary
RSS chief Mohan Bhagwat on population says only eat or increasing population animals also do same
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X