સરદાર પટેલ મુદ્દે મનીષ તિવારી પર સંઘનો વળતો પ્રહાર
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદન કે કાશ... સરદાર સાહેબ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો દેશની તસવીર આજે જુદી હોત પર કોંગ્રેસના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ વળતો જવાબ આપતા એમ જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પટેલેને આપેલા વચનનું પાલન કર્યું હોત તો વર્ષ 2013માં ભાજપના પીએમ પદના ઉમેદવાર કોઇ બીજા નેતા હોત. આ મુદ્દે આરએસએસના નેતાઓ ઉકળી ઉઠ્યા છે. આ વિવાદમાં તિવારી પર વળતો પ્રહાર કરતા સંઘે જણાવ્યું છે કે સરદાર પટેલે જવાહરલાલ નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ 11 મહિના પછી તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
નોંધનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે બંને પાર્ટીઓ ઇતિહાસમાંથી મુદ્દાઓ ઉખાડીને એકબીજાને નીચા જોવડાવા માટેનો પ્રયત્ન કરી રહી છે.

વર્તમાન સમયમાં લોહપુરુષનું બિરુદ પામેલા અને ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનારા સરદાર વલ્લભભાઇ પટેલ પર પોતાના હકને દર્શાવવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ વિવાદ અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના ઉદઘાટન સમયે પણ ઉભો થયો હતો.
આ વિવાદના જવાબમાં તિવારીને જડબાતોડ જવાબ આપતા સંઘના નેતા રામ માધવે જણાવ્યું છે કે સ્વયં સરદાર વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યામાં સંઘની વિરુદ્ધ કોઇ પુરાવો નથી. પટેલે નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને 11 મહિનામાં જ તેનો પાછો ઉઠાવી લીધો હતો.
મહત્વની બાબત એ પણ છે કે સંઘે પહેલીવાર નિવેદન આપીને જણાવ્યું છે કે પટેલ કોઇ એક પાર્ટીની સંપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના પોતાના ઉદઘાટન ભાષણમાં જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું એ પાર્ટીનો સભ્ય છું જેના સ્થાપક સભ્યો પૈકી એક સરદાર પટેલ હતા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
