હવે કોઈપણ ATMમાંથી કાર્ડ વગર ઉપાડી શકાશે રૂપિયા, RBI ગવર્નરે આ મોટી જાહેરાત કરી!
જો તમે ATM દ્વારા પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે તમે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકશો. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ જો તમે ATM દ્વારા પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે તમે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકશો. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર કેટલીક બેંકોમાં જ ઉપલબ્ધ હતી.

કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.

કાર્ડ ક્લોન ફ્રોડમાં ઘટાડો થશે
RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, આ પગલાથી કાર્ડનું ક્લોન કરીને પૈસા ઉપાડવાની છેતરપિંડી પણ ઓછી થશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
નોંધનીય છે કે MPCએ પોલિસી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 11મી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.

RBI નરમ વલણને બદલશે
મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામોની જાહેરાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ જાળવી રાખીને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક તેના નરમ વલણમાં ફેરફાર કરશે. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ હેઠળ બેંકોને તેમના નાણાં રિઝર્વ બેંક પાસે રાખવા પર વ્યાજ મળે છે. MPCએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું છે. ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષા બેઠકમાં MPCએ આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
