વિદેશ મંત્રીએ ભારતીય રાજદૂતો સાથે કરી વાત, વિદેશોમાં વસેલા ભારતીયો માટે આપ્યો આ મેસેજ
કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે.
કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે. ગુરુવારે એક બાદ એક ઉચ્ચાયોગોને જયશંકરે ફોન લગાવ્યા અને ઉચ્ચાયુક્તો સાથે વાત કરી. જયશંકરે રાજનાયિકોને કહ્યુ છે કે તે એલર્ટ છે. આખી દુનિયામાં કોરોનાના કારણે મૃતકોનો આંકડો 11,402 પર પહોંચી ગયો છે. સૌથી વધુ સ્થિતિ ઈટલીમાં ખરાબ છે જ્યાં 4,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરી બેન
જયશંકરને ગુરુવારે સાંજે 4.45 મિનિટે ઉચ્ચાયોગમાં ફોન લગાવ્યા છે. ઘણા ઉચ્ચાયુક્તોએ જયશંકરને સવાલ કર્યો કે એ ભારતીયોનો સામનો કેવી રીતે કરીએ જે ડરેલા છે અને દેશ પાછા આવવા ઈચ્છે છે? જયશંકરે તેમને બસ એક જ વાત કહી કે બધા ભારતીયોને કહે કે તે પોતાના ઘરોમાં રહે અને તેમને ડરવાની જરૂર નથી. જયશંકરે કહ્યુ કે રાજનાયિક ભારતીય સમાજના સંપર્કમાં રહે. તેમને એ વાતનો ભરોસો અપાવ્યો કે તેમને સંકટના કારણે ડરવાની જરૂર નથી. વિદેશ મંત્રી તરફથી ભારતીય રાજનાયિકો સાથે વાત કરવાનો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો જ્યારે ભારતે 22 માર્ચથી આગામી એક સપ્તાહ માટે દેશમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની લેંડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે આ નિર્ણય કોરોનાની રોકથામ કરવાના હેતુથી લીધો છે.
રાજનાયિકોની ભૂમિકા સૌથી મહત્વ
જયશંકર મંત્રીઓના એ સમૂહ(જીઓએમ)નો ભાગ છે જેને વાયરસ સામે લડવા માટે ભારત સરકાર તરફથી રચવામાં આવ્યો છે. ઉચ્ચાયુક્તો સાથે વાતચીતમાં વિદેશમંત્રી જયશંકરે એ વાત સમજાવી કે સ્થિતિનો સામનો કરવામાં રાજનાયિકોનો રોલ સૌથી મહત્વનો છે. સૂત્રોની માનીએ તો સરકાર અને વિદેશ મંત્રી આ વાત સમજે છે કે ઘણા દેશો જેવા કે ઈટલી, ચીન, ઈરાન, સ્પેન, ફ્રાંસ અને યુનાઈટેડ કિંગડમમા તૈનાત રાજનાયિક માટે સમય ખૂબ પડકારરૂપ છે. આ દેશોમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
