વિદેશ મંત્રીએ ભારતીય રાજદૂતો સાથે કરી વાત, વિદેશોમાં વસેલા ભારતીયો માટે આપ્યો આ મેસેજ
કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે.
કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે. ગુરુવારે એક બાદ એક ઉચ્ચાયોગોને જયશંકરે ફોન લગાવ્યા અને ઉચ્ચાયુક્તો સાથે વાત કરી. જયશંકરે રાજનાયિકોને કહ્યુ છે કે તે એલર્ટ છે. આખી દુનિયામાં કોરોનાના કારણે મૃતકોનો આંકડો 11,402 પર પહોંચી ગયો છે. સૌથી વધુ સ્થિતિ ઈટલીમાં ખરાબ છે જ્યાં 4,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરી બેન
જયશંકરને ગુરુવારે સાંજે 4.45 મિનિટે ઉચ્ચાયોગમાં ફોન લગાવ્યા છે. ઘણા ઉચ્ચાયુક્તોએ જયશંકરને સવાલ કર્યો કે એ ભારતીયોનો સામનો કેવી રીતે કરીએ જે ડરેલા છે અને દેશ પાછા આવવા ઈચ્છે છે? જયશંકરે તેમને બસ એક જ વાત કહી કે બધા ભારતીયોને કહે કે તે પોતાના ઘરોમાં રહે અને તેમને ડરવાની જરૂર નથી. જયશંકરે કહ્યુ કે રાજનાયિક ભારતીય સમાજના સંપર્કમાં રહે. તેમને એ વાતનો ભરોસો અપાવ્યો કે તેમને સંકટના કારણે ડરવાની જરૂર નથી. વિદેશ મંત્રી તરફથી ભારતીય રાજનાયિકો સાથે વાત કરવાનો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો જ્યારે ભારતે 22 માર્ચથી આગામી એક સપ્તાહ માટે દેશમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની લેંડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે આ નિર્ણય કોરોનાની રોકથામ કરવાના હેતુથી લીધો છે.
રાજનાયિકોની ભૂમિકા સૌથી મહત્વ
જયશંકર મંત્રીઓના એ સમૂહ(જીઓએમ)નો ભાગ છે જેને વાયરસ સામે લડવા માટે ભારત સરકાર તરફથી રચવામાં આવ્યો છે. ઉચ્ચાયુક્તો સાથે વાતચીતમાં વિદેશમંત્રી જયશંકરે એ વાત સમજાવી કે સ્થિતિનો સામનો કરવામાં રાજનાયિકોનો રોલ સૌથી મહત્વનો છે. સૂત્રોની માનીએ તો સરકાર અને વિદેશ મંત્રી આ વાત સમજે છે કે ઘણા દેશો જેવા કે ઈટલી, ચીન, ઈરાન, સ્પેન, ફ્રાંસ અને યુનાઈટેડ કિંગડમમા તૈનાત રાજનાયિક માટે સમય ખૂબ પડકારરૂપ છે. આ દેશોમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
