હું ભાગ્યશાળી છું કે મારો જન્મ ભારતમાં થયો: સચિન તેંડુલકર
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ભારત રત્ન મળતા ગદગદ થઇ ઉઠેલા મહાન ખેલાડી સચિન તેંડુલકરે જણાવ્યું કે હું આ પુરસ્કાર મારી માતાને સમર્પિત કરવા માગુ છું અને સાથે સાથે તે તમામ માતાઓને પણ જેઓ પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે પોતાની ઇચ્છાઓનું બલિદાન કરી દેતી હોય છે. હું ભાગ્યશાળી છું કે મારો જન્મ ભારતમાં થયો, હું લોકોનો આભારી છું કે તેમણે મને આટલા સમય સુધી પ્રેમ અને સમર્થન આપ્યું.
સચિનનું કહેવું છે કે હું ક્રિકેટથી સન્યાસ લઇ ચૂક્યો છું પરંતુ રમતને મારું યોગદાન આપતો રહીશ. આ મારા માટે ખૂબ જ ખાસ અવસર છે. હું વૈજ્ઞાનિક સીએનઆર રાવને પણ શુભેચ્છાઓ પાઠવું છું, આ મારા માટે સન્માનની વાત છે કે મને તેમની સાથે ભારત રત્ન આપવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે સચિન તેંડુલકરને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' પ્રદાન કરવામાં આવ્યું. સચિન દેશના પહેલા એવા ખેલાડી છે, જેમને આ સન્માનથી નવાજમાં આવ્યા છે. તેમના માટે આ સન્માન આપવા માટે પ્રાવધાનોમાં ફેરફાર કરવામાં આવ્યા. સચિન ભારત રત્ન મેળવનાર સૌથી યુવાન નાગરિક છે.

ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, ઉપરાંત અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
