BSFમાંથી બરતરફ કરાયેલ જવાન તેજ બહાદૂરનું પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું એલાન
વીડિયો બનાવીને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરનાર જવાન તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા.
વીડિયો બનાવીને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરનાર જવાન તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા. હવે તેજ બહાદૂરે એલાન કર્યુ છે કે તે પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે. તેજ બહાદૂરે કહ્યુ કે તે પીએમ મોદી સામે વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને તે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના મુદ્દે પ્રચાર કરશે.
રેવાડીના રહેવાસી તેજ બહાદૂર બીએસએફમાં પીરસાતા ખરાબ ભોજનની ફરિયાદ માટે ચર્ચામાં આવ્યા હતા. તેમણે વીડિયો બનાવીને બીએસએફમાં જવાનોને પીરસાતા ભોજનની ફરિયાદ કરી હતી. આ મામલે ઘણો હોબાળો થયો હતો અને પીએમઓએ પણ આની નોંધ લીધી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અનુશાસનાત્મક કાર્યવાહી કરીને તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા.
બીએસએફમાં કાઢી મૂકાયેલા તેજ બહાદૂરે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે અને તેમને જોઈને જ સેનામાં ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવ્યો હતો. તેજ બહાદૂર મૂળ હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી છે અને હાલાં રેવાડીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેજ બહાદૂરે કહ્યુ કે તે હજારો લોકોના સંપર્કમાં છે અને વારાણસીથી ચૂંટણી લડશે.
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ઉમેદવાર હતા જ્યાં તેમણે 3.71 લાખ મતોના ભારે અંતરથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ તે વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. યુપીમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થવાની છે. વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે અને આના પરિણામ એક સાથે 23મેના રોજ ઘોષિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ નાસાની જેમ ઈસરોએ પણ ખોલ્યા લાઈવ રૉકેટ લૉન્ચિંગના દ્વાર