For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલ્યા અખિલેશ- યૂપીથી જ બનશે નવા PM, ઈશારામાં જ જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

બોલ્યા અખિલેશ- યૂપીથી જ બનશે નવા PM, ઈશારામાં જ જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન ખતમ થઈ ગયું છે અને આ સમયે દેશમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે, એવામાં રાજનૈતિક દલોના નિવેદનબાજી ભારે તેજ થઈ ગયાં છે તો સપા-બસપા અને રાલોદનું ગઠબંધન પૂરી રીતે ભાજપને હરાવવામાં લાગી ગયું છે પરંતુ આ વચ્ચે આ ગઠબંધનમાં આગલા પીએમ કોણ હશે, આ વિશે ભારે વિચાર થઈ રહ્યો છે, જો કે કોઈ આ વિશે ખુલ્લીને વાત નથી કરી રહ્યું, આ વિશે જ્યારે યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે ઈશારામાં જ પોતાની પસંદના પીએમ વિશે જણાવ્યું.

અખિલેશ બોલ્યા- નવા પીએમ યૂપીથી હશે

અખિલેશ બોલ્યા- નવા પીએમ યૂપીથી હશે

સીધી રીતે કોઈનું પણ નામ ન લેતા સપાના ટીપૂ ભૈયાએ કહ્યું કે મને સૌથી વધુ ખુશી થશે, જો કોઈ ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી બનશે, રહી વાત મારા પસંદની તો તમે બધા જાણો જ છો કે વડાપ્રધાન માટે મારી પસંદ કોણ છે, માયાવતીના પીએમ બનવાના સવાલ પર તેમણે કહ્યું કે આ ચૂંટણી બાદ નક્કી થશે, પરંતુ તમે જાણો છો કે હું કોનું સમર્થન કરીશ.

માયાવતીનું નામ સાંભળતા જ રામગોપાલ યાદવને ગુસ્સો આવ્યો

માયાવતીનું નામ સાંભળતા જ રામગોપાલ યાદવને ગુસ્સો આવ્યો

ઉલ્લેખનીય છે કે મંગળવારે મૈનપુરીમાં જ્યારે સપા મહાસચિવ રામગોપાલ યાદવ વોટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તો તેમને પણ મીડિયાએ આ જ પ્રશ્ન કર્યો હતો કે શું માયાવતી પીએમ બની શકે છે, જે સાંભળી જ તેઓ ભડકી ઉઠ્યા હતા, તેમણે કહ્યું કે મને મુરખ સમજી રાખ્યો છે શું? કોઈ મુર્ખ જ હશે જે આ સવાલનો જવાબ આપશે, હું આ સવાલનો જવાબ 23મી મેના રોજ સાંજે 5 વાગ્યે આપીશ.

ભાજપે ટિકિટ નહીં આપી તો મંત્રીએ કહ્યું, ભાજપે ગૌહત્યા કરી ભાજપે ટિકિટ નહીં આપી તો મંત્રીએ કહ્યું, ભાજપે ગૌહત્યા કરી

યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

અખિલેશે કહ્યું કે ગઠબંધનની ઐતિહાસિક જીત થવા જઈ રહી છે, યૂપીના સીએમ ડરી ગયા છે અને આ કારણે જ તેઓ કોઈના પણ વિશે ગમે તેવું બોલી રહ્યા છે, ભાષાનું સ્તર નીચે લાવવાની શરૂઆત યોગી આદિત્યનાથે કરી હતી માટે તેમણે જરૂર જવાબ દેવો પડશે, અખિલેશે કહ્યું કે સીએમ યોગીની કોઈ ટ્રેનિંગ આપવામાં ન આવે, તેઓ આવી રીતે જ બોલતા રહે છે, ત્યારે જ તો અમે જીતશું.

મોદીજી પીએમ છે, અમારે નવા પીએમ જોઈએ

મોદીજી પીએમ છે, અમારે નવા પીએમ જોઈએ

અગાઉ પણ એક ચૂંટણી સભાને સંબોધિત કરતા અખિલેશ યાદવે પીએમ મોદી અને સીએમ યોગી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે મોદીજી પ્રચારમંત્રી છે, અમારે નવા પ્રધાનમંત્રી જોઈએ. બાબા યોગી કોઈનું પણ નથી સાંભળતા, તેમનાથી જનતા પરેશાન છે, નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થાના બેહાલ થયા છે. આ નોટબંધી અને જીએસટી વ્યાપારિઓ માટે નહિ બલકે વિદેશી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવી પરંતુ હવે તેમણે અહીંથી જવું પડશે.

English summary
Samajwadi Party chief Akhilesh Yadav said that the next Prime Minister should be from Uttar Pradesh, even though the Opposition bloc is spoilt for choices for the nation’s top post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X