For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાની કેદી સનાઉલ્લહનો મૃતદેહ પાકિસ્તાનને સોંપાશે : શિંદે
તેમણે એમ પણ જણાવ્યું કે ઔપચારિકતા પૂરી કર્યા બાદ અમે મૃતદેહ સોંપીશું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સનાઉલ્લહ હકનું વિસ્તૃત પોસ્ટ મોર્ટમ ચંદીગઢમાં જ કરવામાં આવશે. મૃતદેહને પાછો મોકલવા માટે પાકિસ્તાનના આગ્રહ અનુસાર વ્યવસ્થા કરવામાં આવશે.
સૂત્રો જણાવે છે કે સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન મૃતદેહ લઇ જવા માટે વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો તેઓ બિનસૈન્ય રજીસ્ટર્ડ વિમાન મોકલશે તો મંજૂરી ઝડપથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા દોષિત આતંકવાદી સનાઉલ્લ હક જમ્મુની કોટ બલવાલ જેલમાં એક અન્ય કેદી સાથેના ઝગડામાં ઘાયલ થઇ ગયા હતા. જેના પગલે ગયા શુક્રવારે તેને ચંદીગઢની પીજીઆઇએમઇઆર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
Comments
pakistani prisoner sanaullah chandigarh pakistan sushil kumar shinde home minister પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ ચંદીગઢ ભારત પાકિસ્તાન સુશીલકુમાર શિંદે ગૃહ મંત્રી
English summary
Sanaullah body will be handed over to Pakistan : Shinde
Story first published: Thursday, May 9, 2013, 11:07 [IST]