યરવડા જેલમાં સંજય દત્ત બનાવશે ફર્નિચર !
પુણે, 25 મે: યરવડા કેન્દ્રિય કારાગારની ઉંચી-ઉંચી દિવાલો પાછળ સન્નાટો પ્રસરેલો છે અને અહીંથી પસાર થનાર લોકો બોલીવુડ અભિનેતા સંજય દત્તની ઝલક મેળવવા માટે જેલના દરવાજા પર નજરો માંડીને બેસ્યાં છે જેમને 42 મહિનાની સજા માટે અહી લાવવામાં આવ્યાં છે. સંજય દત્તને 1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટ સાથે સંકળાયેલ કેસમાં સજા કાપવા માટે 22 મેના રોજ આ ઐતિહાસિક જેલમાં લાવવામાં આવ્યાં છે જ્યાં મહાત્મા ગાંધી સ્વતંત્રતા આંદોલન દરમિયાન કેદ રહ્યાં હતા.
સંજય દત્તને મુંબઇની આર્થર રોડ જેલમાંથી અહી લાવ્યા બાદ જેલ અધિકારીઓ અભિનેતાના આ અનિવાર્ય શારિરિક શ્રમ પર નિર્ણય કર્યો છે જે સંજય દત્તને એક કેદી હોવાના લીધે કરવું પડશે. જેલના એક અધિકારીએ કહ્યું હતું કે તેમને સુરક્ષાને કારણે એક અલગ કોઠરીમાં રાખવામાં આવે છે. અમે જેલ મૈનુઅલના અનુસાર તેમને કામ આપવાનો નિર્ણય કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેદી નંબર 16656'નો બિલ્લો પહેરી રહેલા સંજય દત્ત ત્રીજીવાર યરવડા જેલમાં આવ્યાં છે. સંજય દત્ત પોતાનામાં જ સિમિત છે અને તેમને નક્કી દિનચર્યાનું પાલન કર્યું હતું જેમાં સવારે સાડા સાત વાગે નાસ્તો, બપોરે 11 વાગે બપોરનું ભોજન અને સાંજે સાડા છ વાગે રાત્રિભોજન સામેલ છે. તેમને 16 મેના રોજ આત્મસમર્પણ બાદ આર્થર રોડ જેલમાં છ રાત્રિ વિતાવી હતી.

વધારાના ડીજીપી (જેલ) મીરાન બોરવાંકરે કહ્યું કે સંજય દત્તની જેલની દિનચર્યા પર જલદી કોઇ નિર્ણય લેવામાં આવશે જેમાં તેમને આપવામાં આવનાર કામનો પણ સમાવેશ થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની સાથે એક સામાન્ય કેદી જેવો વ્યવહાર થશે અને તેમને ફક્ત રજા આપવામાં આવશે જે કોર્ટ દ્વારા તેમને એક મહિના માટે આપવામાં આવશે.
સંજય દત્ત ગત વખતે જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે તેમને જેલમાં ખુરશીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ જેલમાં મોટી માત્રામાં લાકડાનું ફર્નિચર તૈયાર થાય છે જેને બહાર વેચવામાં આવે છે. એક નિર્દેશકની નજર હેઠળ ટોપલી બનાવનાર સંજય દત્તને 12.50 રૂપિયા પ્રતિદિવસના હિસાબે ચુકવવામાં આવ્યાં હતા. જેલમાં આ દરમિયાન અકુશળ શ્રમિકના વેતનની ચુકવણી કરવામાં આવે છે.
મુંબઇ વિસ્ફોટ કેસ સાથે સંકળાયેલા ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજાની પુષ્ટિ થયા બાદ 'મુન્નાભાઇ'ને બાકીની સજા અહીં યરવડા જેલમાં કાપવી પડશે. સંજય દત્ત 2007માં બે વખત આ જેલમાં કેદ રહી ચૂક્યાં છે. સંજય દત્તને કોઠરી બેરક નંબર ત્રણમાં સ્થિત છે અને સંજય દત્તના મિત્ર તથા સહ ગુનેગાર યૂસૂફ નલવાલાને પણ આ બેરકમાં એક અન્ય કોઠરીમાં રાખવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
