યરવડા જેલમાં સંજય દત્ત બનાવશે ફર્નિચર !
પુણે, 25 મે: યરવડા કેન્દ્રિય કારાગારની ઉંચી-ઉંચી દિવાલો પાછળ સન્નાટો પ્રસરેલો છે અને અહીંથી પસાર થનાર લોકો બોલીવુડ અભિનેતા સંજય દત્તની ઝલક મેળવવા માટે જેલના દરવાજા પર નજરો માંડીને બેસ્યાં છે જેમને 42 મહિનાની સજા માટે અહી લાવવામાં આવ્યાં છે. સંજય દત્તને 1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટ સાથે સંકળાયેલ કેસમાં સજા કાપવા માટે 22 મેના રોજ આ ઐતિહાસિક જેલમાં લાવવામાં આવ્યાં છે જ્યાં મહાત્મા ગાંધી સ્વતંત્રતા આંદોલન દરમિયાન કેદ રહ્યાં હતા.
સંજય દત્તને મુંબઇની આર્થર રોડ જેલમાંથી અહી લાવ્યા બાદ જેલ અધિકારીઓ અભિનેતાના આ અનિવાર્ય શારિરિક શ્રમ પર નિર્ણય કર્યો છે જે સંજય દત્તને એક કેદી હોવાના લીધે કરવું પડશે. જેલના એક અધિકારીએ કહ્યું હતું કે તેમને સુરક્ષાને કારણે એક અલગ કોઠરીમાં રાખવામાં આવે છે. અમે જેલ મૈનુઅલના અનુસાર તેમને કામ આપવાનો નિર્ણય કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેદી નંબર 16656'નો બિલ્લો પહેરી રહેલા સંજય દત્ત ત્રીજીવાર યરવડા જેલમાં આવ્યાં છે. સંજય દત્ત પોતાનામાં જ સિમિત છે અને તેમને નક્કી દિનચર્યાનું પાલન કર્યું હતું જેમાં સવારે સાડા સાત વાગે નાસ્તો, બપોરે 11 વાગે બપોરનું ભોજન અને સાંજે સાડા છ વાગે રાત્રિભોજન સામેલ છે. તેમને 16 મેના રોજ આત્મસમર્પણ બાદ આર્થર રોડ જેલમાં છ રાત્રિ વિતાવી હતી.

વધારાના ડીજીપી (જેલ) મીરાન બોરવાંકરે કહ્યું કે સંજય દત્તની જેલની દિનચર્યા પર જલદી કોઇ નિર્ણય લેવામાં આવશે જેમાં તેમને આપવામાં આવનાર કામનો પણ સમાવેશ થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની સાથે એક સામાન્ય કેદી જેવો વ્યવહાર થશે અને તેમને ફક્ત રજા આપવામાં આવશે જે કોર્ટ દ્વારા તેમને એક મહિના માટે આપવામાં આવશે.
સંજય દત્ત ગત વખતે જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે તેમને જેલમાં ખુરશીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ જેલમાં મોટી માત્રામાં લાકડાનું ફર્નિચર તૈયાર થાય છે જેને બહાર વેચવામાં આવે છે. એક નિર્દેશકની નજર હેઠળ ટોપલી બનાવનાર સંજય દત્તને 12.50 રૂપિયા પ્રતિદિવસના હિસાબે ચુકવવામાં આવ્યાં હતા. જેલમાં આ દરમિયાન અકુશળ શ્રમિકના વેતનની ચુકવણી કરવામાં આવે છે.
મુંબઇ વિસ્ફોટ કેસ સાથે સંકળાયેલા ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજાની પુષ્ટિ થયા બાદ 'મુન્નાભાઇ'ને બાકીની સજા અહીં યરવડા જેલમાં કાપવી પડશે. સંજય દત્ત 2007માં બે વખત આ જેલમાં કેદ રહી ચૂક્યાં છે. સંજય દત્તને કોઠરી બેરક નંબર ત્રણમાં સ્થિત છે અને સંજય દત્તના મિત્ર તથા સહ ગુનેગાર યૂસૂફ નલવાલાને પણ આ બેરકમાં એક અન્ય કોઠરીમાં રાખવામાં આવ્યો છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
