જનરલ વી.કે. સિંહને સુપ્રીમ કોર્ટે ફટકારી 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'ની નોટીસ
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: સુપ્રીમ કોર્ટે મંગળવારે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી.કે સિંહને નોટિસ ફટકારીને જન્મતારીખ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદા પર સવાલ ઉઠાવતા તેમના પર કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવે. ન્યાયમૂર્તિ આર.એમ લોઢા અને ન્યાયમૂર્તિ એચ.એલ. ગોખલેની વિશેષ પીઠે જનરલ વી.કે સિંહના નિવેદન પર જાતે જ સંજ્ઞાન લઇને નોટીસ ફટકારી છે. આ નિવેદન 22 સપ્ટેમ્બરના રોજ એક અખબારમાં છપાયું હતું.
કોર્ટે મામલાની હવે પછીની સુનાવણી તારીખ 23 ઓક્ટોબર નક્કી કરી છે. અખબારના અહેવાલમાં જનરલ સિંહના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઉંમરના મામલાનો નિર્ણય દસમીના સર્ટિફિકેટના આધારે કેમ નક્કી કરવામાં ના આવ્યો, જોકે રેપ પીડિતોની ઉંમરના મુદ્દે આવા જ દસ્તાવેજ પર ભરોસો કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ ગુલામ વાહનવતી કહ્યું છે કે તે આ મામલામાં કોર્ટની મદદ કરે. સુપ્રીમ કોર્ટે જનરલ સિંહની ઉંમરના વિવાદ પર કોર્ટના આદેશ અંગે તેમની ટિપ્પણીઓ પર સોમવારે જ સંજ્ઞાન લીધું હતું. સુનાવણીની શરૂઆતમાં ન્યાયમૂર્તિ લોઢાએ જણાવ્યું કે તેઓ કોર્ટની અધિકારિતા અંગે ચિંતિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ સિંહ ગયા વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ ઉંમર વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઇ હારી ગયા હતા. ત્યારે કોર્ટે જણાવ્યું કે સેવા મામલામાં તેમની જન્મતિથી અંગે સરકારનો નિર્ણય જ લાગૂ રહેશે. ત્યારબાદ જનરલ સિંહે પોતાની અરજી પાછી લઇ લીધી હતી.
કોર્ટે જનરલ સિંહને જણાવ્યું હતું કે પોતાના એ વચનને ટાળી ના શકે કે તેમની જન્મતિથિ 10 મે 1950 માનવાના સરકારના નિર્ણયનું પાલન કરશે. એ વખતે કોર્ટે જનરલ સિંહની દેશ પ્રત્યે 38 વર્ષની સેવાઓના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમને જનરલ સિંહ જેવા સારા અધિકારીની હાજરી પર ગર્વ છે. કોર્ટે તેમના સર્વિસ રેકોર્ડમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
