આ છે સ્વદેશનો અસલી શાહરૂખ, ઠુકરાવ્યો નાસાનો 10 કરોડનો પ્રસ્તાવ
કરનાલ, 20 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રતિભાઓને દેશની બહાર નહીં જવાનું અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ કરનાલના કોયર ગામમાં રહેતા રાકેશને નાસાના 10 કરોડના પૈકેજનો અસ્વીકાર કરી ભારતમાં રહેવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીની અપીલ કર્યા બાદ રાકેશે નાસાના ભારે-ભરખમ પેકેજને નકારી દીધુ છે.
રાકેશની 2014ના સપ્ટેમ્બર માસમાં જુનિયર રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. નાસાએ તેને 10 કરોડ રૂપિયાના પેકેજની ઓફર આપી હતી. એટલુ જ નહિં નાસાએ તેને વિઝા, ટિકિટ સાથે અન્ય ઘણી સુવિધાઓનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. રાકેશને 23 માર્ચના રોજ અમેરિકા જવા રવાના હતું.
રાકેશના નાસાનો પ્રસ્તાવ નકાર્યા બાદ હરિયાણા સરકારે પણ તેને આમંત્રણ મોકલાવ્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાકેશને સમ્માનિત કરવા માટે આમંત્રણ મોકલ્યું છે. રાકેશ ટૂંક સમયમાં ખટ્ટર સાથે મુલાકાત કરશે.