For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા હુમલા બાદ વધારવામાં આવી દલાઇ લામાની સુરક્ષા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dalai-lamba
ધર્મશાળા, 8 જુલાઇ: બોધગયામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરના મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાંતિના પ્રતિક બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ પર થયેલા આ બ્લાસ્ટ બાદ તિબેટીટન ધર્મગુરૂ દલાઇ લામાની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તિબ્બતી આદ્યાત્મિક ગુરૂ દલાઇ લામાના આધિકારીક મહેલ અને તેને અડીને આવેલા સુગલગખાંગ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

દલાઇ લામા મહેલ અને મંદિર ઉપરાંત તેમના અંગત કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય તિબ્બતી વહિવટી તંત્રના સુરક્ષા વિભાગના સચિવ ન્ગોદુપ દોરજીએ જણાવ્યું હતું કે દલાઇ લામાના કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બૌદ્ધ ધર્મના ગુરૂના અંગત સુરક્ષાકર્મીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તિબ્બતી આદ્યાત્મિક ગુરૂ દલાઇ લામાને ભારત સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. તેમછતાં હુમલાની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં તેમની ઓફિસ અને સુગલગખાંગ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ધર્મગુરૂ દલાઇ લામા શાંતિ અને બૌદ્ધ ધર્મના પ્રચારક છે. ધર્મના પ્રચાર માટે દેશ-વિદેશના પ્રવાસ પર રહે છે. દલાઇ લામા બોધગયાના નિયમિત યાત્રી રહ્યાં છે. ગત વખતે 1 થી 10 જાન્યુઆરી 2012 વચ્ચે તે અહી કાલચક્ર સમારોહમાં સામેલ થયા હતા અને વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી.

English summary
The security of Tibetan spiritual leader Dalai Lama's official palace and nearby Tsuglagkhang temple here was beefed up after terror attack in Bodh Gaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X