સંઘ ઉવાચ્ : PM પદના ઉમેદવારની પસંદગી તો સર્વસંમતિથી જ

આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે નારાજ અડવાણીને એવો વિશ્વાસ અપાવ્યો છે કે નરેન્દ્ર મોદીને ભલે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ લોકસભાની આગામી ચૂંટણી તો સામુહિક નેતૃત્વના સિદ્ધાંત ઉપર જ લડવામાં આવશે. વડા પ્રધાન પદ માટે ભાજપના ઉમેદવારની પસંદગી સર્વસંમતિથી જ કરાશે.
ઉલ્લેખનીય છે કે ભાજપમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને હોબાળો મચેલો છે. ભાજપમાં એક વર્ગ લોકસભા ચૂંટણી 2014 માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માગે છે. બીજો એક વર્ગ અડવાણીના સમર્થનમાં છે. ભાજપનો મોટો વર્ગ નરેન્દ્ર મોદીની તરફેણમાં હોવાથી નારાજ અડવાણીએ ગોવાની કારોબારી બેઠકમાં હાજરી આપી ન હતી. આ ઉપરાંત ગોવાની બેઠક બાદ પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું.
ટીકાકારોના માનવા પ્રમાણે અડવાણી પોતે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માંગે છે, પરંતુ તેમને પાર્ટી અને સંઘ તરફથી કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું. બીજેપી કાર્યકર્તાઓમાં પણ તેમના નામને લઇને જોશ દેખાઇ રહ્યો નથી. ભાજપે વર્ષ 2009ની ચૂંટણી અડવાણીના નેતૃત્વમાં લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે પ્રશ્ન એ છે કે નાગપુરની બેઠકમાં સંઘે આપેલા જવાબમાં ફરી એકવાર અડવાણીને ગાજર લટકાવીને મનાવી લેવામાં આવ્યા છે કે તેમને ખરેખર વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં સંઘની રસ છે તે આગામી સમય બતાવશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
