વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ લાંબી માંદગી બાદ 67 વર્ષની ઉંમરે નિધન
વરિષ્ઠ પત્રકાર અને અભિનેત્રી મલ્લિકા દુઆના પિતા વિનોદ દુઆનુ આજે (શનિવારે) નિધન થઈ ગયુ.
નવી દિલ્લીઃ વરિષ્ઠ પત્રકાર અને અભિનેત્રી મલ્લિકા દુઆના પિતા વિનોદ દુઆનુ આજે (શનિવારે) નિધન થઈ ગયુ. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અભિનેત્રી મલ્લિકા દુઆએ આ દુઃખદ સમાચાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને આપ્યા. તેમણે લખ્યુ, 'મારા નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆ હવે અમારી વચ્ચે નથી રહ્યા.'

મલ્લિકા દુઆ આગળ લખે છે કે તેમણે(વિનોદ દુઆ) અદ્વિતીય જીવન જીવ્યુ, દિલ્લીના શરણાર્થી કૉલોનીઓથી 42 વર્ષો સુધી તે પત્રકારત્વના ઉત્કૃષ્ટ શિખર સુધી આગળ વધારીને હંમેશા સત્ય બોલતા રહ્યા. તેઓ હવે મારી મા અને પ્રેમાળ પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે. હંમેશાની જેમ બંને ગીત ગીવુ, જમવુ, ફરીથી એક સાથે કરી શકશે. કાલે(5 ડિસેમ્બર) તેમના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટમાં થશે.
કોરોનાથી થયુ હતુ પત્નીનુ મોત
તમને જણાવી દઈએ કે મલ્લિકા દુઆની મા અને પત્રકાર વિનોદ દુઆના પત્ની ચિન્નાનુ નિધન કોરોના વાયરસની ચપેટમાં આવવાના કારણે થયુ હતુ. બીજી લહેર દરમિયાન વિનોદ દુઆ અને તેમના પત્ની ચિન્ના બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. વિનોદ દુઆ તો મહામારી સામે લડીને ઘરે આવી ગયા પરંતુ તેમની પત્નીનુ નિધન થઈ ગયુ. વિનોદ દુઆ મીડિયા જગતનુ જાણીતુ નામ હતા. તેમણે દૂરદર્શન માટે પણ કામ કર્યુ હતુ. કોરોના સંક્રમણ બાદથી જ તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી. પત્ની ચિન્નાનુ નિધન ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં ઈલાજ દરમિયાન થયુ હતુ.
Senior journalist Vinod Dua passes away, confirms his daughter and actress Mallika Dua. His cremation will take place tomorrow, she posts.
— ANI (@ANI) December 4, 2021
(Pic Source: Vinod Dua Twitter account) pic.twitter.com/CmkSgOrWfP
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
