એક જ પરિવારના સાત સભ્યો ટાવર પર ચઢી ગયા!!!

આ સભ્યોમાં ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થતો હતો. આ તમાશો લગભગ છ કલાક ચાલ્યો હતો. અનેક લોકોની સમજાવટ બાદ છ કલાકે આ પરિવારના સભ્યો મોબાઇલ ટાવર પરથી નીચે ઉતરવા માટે તૈયાર થયા હતા.
બન્યું એમ હતું કે આજે સવારે 7 વાગે કાશીપુરીમાં રહેતા શંકરલાલ અને તેમના પરિવારના સભ્યો ઘરની પાસે આવેલા મોબાઇલ ટાવર પર ચઢી ગયા હતા. મોબાઇલ ટાવર પર ચઢીને તેમણે તાજેતરમાં મ્યુનિસિપાલિટીમાં થયેલી સફાઇ કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા રદ કરવાની માંગણી કરી હતી.
આ દરમિયાન સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસકર્મીઓ તાબડતોબ દોડી આવ્યા હતા. આ સાથે ફાયબ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જો કે આ પરિવાર કોઇની સમજાવટથી નહીં માનતા છેવટે કોર્પોરેશનના કમિશનર, વાલ્મિકી સમાજના પદાધિકારીઓ અને એસડીએમ સિટી પણ પહોંચ્યા હતા.
અનેક સમજાવટ છતાં એકના બે નહીં થતાં સત્તાધિકારીઓએ તેમને તેમની માંગ પર યોગ્ય પ્રક્રિયા કરવાનું આશ્વાસન આપતા તેઓ નીચે ઉતરવા માટે રાજી થયા હતા. સફાઇ કર્મીઓની ભરતીમાં જેમને સ્થાન નથી મળ્યું તે લોકો ઘણા નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
