દિલ્હીમાં કેમ ઘટ્યું વોટિંગ, જાણો શશિ થરૂરે શુ્ં જણાવ્યું
દિલ્હીમાં કેમ ઘટ્યું વોટિંગ, જાણો શશિ થરૂરે શુ્ં જણાવ્યું
નવી દિલ્હીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરુરે દિલ્હી વિધાનસભામાં થયેલ ઓછા વોટિંગને લઈ ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. જણાવી દઈએ કે આ વખતે દિલ્હમાં વોટિંગ ટકાવારી પાછલી ચૂંટણીની સરખામણીએ ઘણી ઓછી નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે ઓછા વોટિંગ માટે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં થયેલ ફાયરિંગને જવાબદાર ગણાવી.
કોગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર મુજબ દિલ્હીમાં આ વખતે જે ઓછા વોટ પડ્યા છે, તેનું કારણ શાહીન બાગ વિસ્તારમાં થયેલ ફાયરિંગ હોય શકે છે. ઉલ્લેખનીય છે કે શાહીન બાગમાં પાછલા બે મહિનાથી નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ અનિશ્ચિતકાલીન ધરણા-પ્રદર્શન થઈ રહ્યા છે, જ્યાં એકવાર તો ધરણાવાળી જગ્યાએ હવાઈ ફાયરિંગ પણ થયું છે. અન્ય એક કિસ્સામાં એક શખ્સ બંધૂક લઈ ત્યાં પહોંચી ગયો હતો. જ્યારે જામિયા નગર વિસ્તારમાં એક શખ્સે પ્રદર્શન વિરુદ્ધ ગોળીબાર કર્ોય હતો, જેમાં જામિયાનો એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.
આ ઉપરાંત શશિ થરૂરે ફરી એકવાર નાગરિકતા સંશોધન એક્ટ અને નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને લઈ વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે એ વાતની આશંકા જતાવાઈ રહી છે કે સીએએ અને એનઆરસીના માધ્યમથી યોગ્ય કાગળ ના દેખાડનારાઓના મતદાનનો અધિકાર છીનવી લેવાય શકે છે.
અમિત શાહ સાથેની બેઠક બાજ ભાજપે કહ્યું, એક્ઝિટ પોલનું ગણીત ઠીક નથી