શિવસેના જાવેદ અખ્તરના નિવેદન પર ખફા - 'તાલિબાન સાથે RSSની તુલના હિન્દુ સંસ્કૃતિનું અપમાન'
શિવસેનાએ RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે.
મુંબઈ : શિવસેનાએ સોમવારના રોજ (05 સપ્ટેમ્બર) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, તાલિબાન અને RSSની તુલના કરનારાઓએ "આત્મનિરીક્ષણ" કરવાની જરૂર છે.

'તાલિબાન સાથે RSSની તુલના અયોગ્ય છે'
સામનામાં શિવસેનાએ કહ્યું છે કે, આ દિવસોમાં કેટલાક લોકો તાલિબાન સાથે કોઇને કોઇની તુલના કરી રહ્યા છે. કારણ કે, તેમને સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન અને ચીન, જે લોકશાહી નથી, અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપી રહ્યા છે. કારણ કે, આ બે દેશોમાં માનવાધિકારને કોઈ સ્થાન નથી. જો કે, ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરવામાં આવે છે. તેથી તાલિબાન સાથે RSSની તુલના કરવી ખોટી છે. ભારત દરેક રીતે અત્યંત સહિષ્ણુ રાષ્ટ્ર છે.

'RSS અને VHP હિન્દુઓના અધિકારો માટે ઉભા છે'
એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, RSS અને VHP જેવી સંસ્થાઓ માટે હિન્દુત્વ એક "સંસ્કૃતિ" છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "RSS અને VHP ઈચ્છે છે કે, હિન્દુઓના અધિકારોને દબાવવામાં ન આવે. આ ઉપરાંત, તેમણે ક્યારેય મહિલાઓના અધિકારો પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. જો કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે. લોકો ડરના કારણે પોતાના દેશમાંથી ભાગી ગયા અને મહિલાઓના અધિકારોનું હનન અને અત્યાચાર થઈ રહ્યો છે.

'તાલિબાન સાથે સંઘની તુલના સ્વીકાર્ય નથી'
સામનાએ જાવેદ અખ્તરને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે, જે તેમના "સ્પષ્ટ" નિવેદનો માટે જાણીતા છે અને મુસ્લિમ સમાજના ઉગ્રવાદી વિચારો પર પણ તેમને પ્રહારો કર્યા છે. જો કે, તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકાર્ય નથી, એમ શિવસેનાએ જણાવ્યું હતું. આપણા દેશમાં મોટાભાગના લોકો ધર્મનિરપેક્ષ છે અને તાલિબાનની વિચારધારાને સ્વીકારશે નહીં. હિન્દુ બહુમતી સમુદાય હોવા છતાં ભારત ગર્વથી બિનસાંપ્રદાયિક છે. "
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
