Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિવસેના જાવેદ અખ્તરના નિવેદન પર ખફા - 'તાલિબાન સાથે RSSની તુલના હિન્દુ સંસ્કૃતિનું અપમાન'

શિવસેનાએ RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે.

મુંબઈ : શિવસેનાએ સોમવારના રોજ (05 સપ્ટેમ્બર) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, તાલિબાન અને RSSની તુલના કરનારાઓએ "આત્મનિરીક્ષણ" કરવાની જરૂર છે.

Shiv Sena

'તાલિબાન સાથે RSSની તુલના અયોગ્ય છે'

સામનામાં શિવસેનાએ કહ્યું છે કે, આ દિવસોમાં કેટલાક લોકો તાલિબાન સાથે કોઇને કોઇની તુલના કરી રહ્યા છે. કારણ કે, તેમને સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન અને ચીન, જે લોકશાહી નથી, અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપી રહ્યા છે. કારણ કે, આ બે દેશોમાં માનવાધિકારને કોઈ સ્થાન નથી. જો કે, ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરવામાં આવે છે. તેથી તાલિબાન સાથે RSSની તુલના કરવી ખોટી છે. ભારત દરેક રીતે અત્યંત સહિષ્ણુ રાષ્ટ્ર છે.

Javed Akhtar

'RSS અને VHP હિન્દુઓના અધિકારો માટે ઉભા છે'

એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, RSS અને VHP જેવી સંસ્થાઓ માટે હિન્દુત્વ એક "સંસ્કૃતિ" છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "RSS અને VHP ઈચ્છે છે કે, હિન્દુઓના અધિકારોને દબાવવામાં ન આવે. આ ઉપરાંત, તેમણે ક્યારેય મહિલાઓના અધિકારો પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. જો કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે. લોકો ડરના કારણે પોતાના દેશમાંથી ભાગી ગયા અને મહિલાઓના અધિકારોનું હનન અને અત્યાચાર થઈ રહ્યો છે.

Javed Akhtar

'તાલિબાન સાથે સંઘની તુલના સ્વીકાર્ય નથી'

સામનાએ જાવેદ અખ્તરને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે, જે તેમના "સ્પષ્ટ" નિવેદનો માટે જાણીતા છે અને મુસ્લિમ સમાજના ઉગ્રવાદી વિચારો પર પણ તેમને પ્રહારો કર્યા છે. જો કે, તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકાર્ય નથી, એમ શિવસેનાએ જણાવ્યું હતું. આપણા દેશમાં મોટાભાગના લોકો ધર્મનિરપેક્ષ છે અને તાલિબાનની વિચારધારાને સ્વીકારશે નહીં. હિન્દુ બહુમતી સમુદાય હોવા છતાં ભારત ગર્વથી બિનસાંપ્રદાયિક છે. "

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X