મહારાષ્ટ્રના ધારાસભ્યો ગુજરાત આવતા રાજકારણ ગરમાયું
મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાતવાળી જોવા મળી છે. શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો નારાજ થઇને ગુજરાતના સૂરતમાં ધામા નાખ્યા છે. જેમા શિવસેનાના કહેવાતા મોટા નેતા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, રાજ્
મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાતવાળી જોવા મળી છે. શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો નારાજ થઇને ગુજરાતના સૂરતમાં ધામા નાખ્યા છે. જેમા શિવસેનાના કહેવાતા મોટા નેતા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ રાજકારણાં ગરમાવો આવ્યો છે એવુ માનવામાં આવી રહ્યુ છે કે, ચૂંટણીમાં શિવસેનાા ધારારસભ્યો દ્વાર ક્રોસ વોટિંગ કર્યુ હોવાની આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત આવેલા શિવસેનાના ધારાસભ્યોમાં મુખ્ય નામોમાં ભરત ગોગાવલે મહાડ, પ્રતાપ સરનાઇક ઓવાળા, માજીવાડા, બાલાજી કિન્નોર અંબરનાથ, સંજય ગાયકવાડ, બલઢાણા, જ્ઞાનરાજ ચૌગુલે, ઉમરગા, અને સંજય સિરસાટનો સમાવેશ થાય છે.
આ ઘટનાને પગલે શિવસેના દ્વારા પોતાના ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાથી ચાર ધરાસભ્યો સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાઁ આવી રહી છે. જેમા રાજ્યકક્ષાના મંત્રી અબ્દુલ સત્તાર, સંજય ગાયકવાડ, સંજય સિરસાટ અને સંજય રાયમુલકરનો સમાવેશ થાય છે.
ધારાસભ્યોની નારાજગીને લઇને શિવસેના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તાત્કાલિક બેઠક બોલાવી હતી. સાસદ સંજય રાઉતે પણ પોતાની દિલ્હીનો પ્રવાસે રદ્દ કરી દિધો હતો.












Click it and Unblock the Notifications
