રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી
રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી
નવી દિલ્હીઃ શિયાળુ સત્રના ત્રીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવા પર નારાજગી વ્યક્ત કરી. આ મામલાને લઈ તેમણે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે કહ્યું કે ચોંકાવનારી વાત એ છે કે એનડીએથી બહાર થવાને લઈ હજુ કોઈ ઔપચારિક એલાન થયું નથી છતાં તેમની જગ્યા ત્રીજીથી પાંચમી લાઈનમાં કરી દેવામાં આવી છે.

સંજય રાઉતે કહ્યું કે તેમને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા માટે થયું. રાઉતે કહ્યું કે આ સદનની મર્યાદાની વિરુદ્ધ છે. સંજય રાઉતે કહ્યું કે એવું લાગે છે કે શિવસેનાની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા માટે આવું જાણીજોઈને કરાઈ રહ્યું છે. શિવસેના સાંસદે ચેમ્બરમાં બેસવાની પોતાની જૂની જગ્યાની માંગણી કરતા વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ બંને દળો વચ્ચે વિવાદ વધી ગયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદને લઈ શિવસેનાએ ભાજપ સમક્ષ 50-50નો ફોર્મ્યૂલા રાખ્યો હતો, જેને ભાજપે માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ શિવસેનાના અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે જેનો મુદ્દો બુધવારે સંસદમાં પણ ઉઠ્યો હતો.
Shiv Sena's Sanjay Raut to M Venkaiah Naidu: I also fail to understand reason for this unwarranted step since there is no formal announcement about the removal from NDA. This decision has affected dignity of the House.I request to allot us 1/2/3 row seat&uphold House decorum. 2/2 https://t.co/q5NoX00CoO
— ANI (@ANI) November 20, 2019
રાજ્યસભામાં નિત્યાનંદ રાયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલનો રિપોર્ટ રજૂ કર્યો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણ પર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. ભાજપ-શિવસેના, કોંગ્રેસ-એનસીપીમાંથી કોઈપણ દળ સરકાર નહોતી બનાવી શક્યા. જો કે, રાષ્ટ્રપતિ શાસન વચ્ચે શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
