સિદ્ધરમૈયા બનશે કર્ણાટકના CM, ખડગે બનશે રેલ મંત્રી
બેંગલુરુ, 10 મે: કર્ણાટકમાં ભારે બહુમતની સાથે ચૂંટણીમાં જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટીને શુક્રવારે નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીપદ આપવાનો નિર્ણય લેવાયો છે. કહેવાય છે કે આ નિર્ણય 10 જનપથથી લેવાયો છે.
કોંગ્રેસની જીત બાદ પાંચ નેતાઓ મુખ્યમંત્રીપદની દાવેદારી કરી રહ્યા હતા. તે બધાની પર વિરામ લગાવતા પાર્ટીએ સિદ્ધારમૈયાને સીએમ તરીકે ચૂંટી લીધા છે. સિદ્ધારમૈયા 1994માં દેવેગૌડાની સરકારમાં નાણામંત્રી હતા. 2004માં કોંગ્રેસ જોઇન કર્યા બાદ તેમણે પાર્ટીની મજબૂતી માટે કામ કર્યું. તે શરૂથી જ મુખ્યમંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર રહ્યા છે.













Click it and Unblock the Notifications
