હૈદરાબાદમાં નિર્માણાધીન ઇમારતની દિવાલ પડીઃ 6ના મોત

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ઇમારતની દિવાલ આંધ્રપ્રદેશમાં 24 કલાક પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. ઇમારત પાસે રંગા રેડ્ડી અને મહબુબનગર જિલ્લાના શ્રમીકો રહી રહ્યાં હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે હાલ ઘટના સ્થળે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, જીએચએમસી અને પોલીસકર્મીઓ દ્વારા રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ઘુસી ગયા છે. અને હૈદરાબાદમાં મોટી સંખ્યામાં બિલ્ડિંગ્સને જોખમી ગણાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
