માઉન્ટ એવરેસ્ટ પર ભૂસ્ખલન, 6 નેપાળી પર્વતારોહી ગાઇડોના મોત
કાઢમાંડૂ, 18 એપ્રિલ: દુનિયા સૌથી ઉંચી ટોચ પર થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા છ નેપાળી પર્વતારોહી ગાઇડોના મોત નિપજ્યા હોવાના સમાચાર આવ્યા છે, જ્યારે છ અન્ય ગાયબ બતાવવામાં આવે છે. આ ઘટના શુક્રવારે સવારે ઘટી હતી.
એક સમાચાર એજન્સીએ નેપાળ પર્વતારોહી સંધના અધ્યક્ષ આંગ જેરિંગ શેરપાના હવાલેથી જણાવ્યું છે 'બચાવદળને પહેલાંથી જ ચાર લાશ મળી ચૂકી છે. બચાવદળ બરફમાં દટાયેલ લાશોને નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
શેરપાએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન 19000 ફૂટની ઉંચાઇ પર સવારે 6.64 વાગે થયું. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઇ તેને 'પોપકોર્ન ફીલ્ડ' નામે ઓળખવામાં આવે છે. પર્યટન મંત્રાલયના પ્રવક્તા મોહન કૃષ્ણ સપકોટાએ જણાવ્યું હતું કે બધા પર્વતારોહી નેપાળી છે.

માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઇ કરવા માટે અનૂકુળ ઋતુની શરૂઆત પહેલાં જ ત્યાં ખૂબ ભીડભાડ છે. નેપાળના પર્યટન મંત્રાલયના એક અધિકરી મધુસુદન બુરલાકોટીએ જણાવ્યું હતું કે બચાવ માટે ત્રણ હેલિકોપ્ટર તે ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે. પર્વતારોહક માટે રસ્તો બનાવવા માટે શેરપા સવારે પહાડી ચઢ્યા હતા ત્યારે તે બર્ફીલા તોફાનની ઝપેટમાં આવી ગયા.
એડમંડ હિલેરી અને તેનજિંગ નોર્ગેએ સૌથી પહેલાં વર્ષ 1953માં નેપાળ અને ચીન વચ્ચે સ્થિત માઉન્ટ એવરેસ્ટને ફતેહ કર્યું હતું અને ત્યારથી 3000થી વધુ લોકો આ ચોટી પર ચઢાણ કરી ચૂક્યાં છે. જો કે આ પ્રયત્નમાં ઘણા લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
