સસ્તા અનાજ માટે હજી પણ છ મહિનાની રાહ જોવી પડશે

આ વટહુકમ પર વિપક્ષ તરફથી થઇ રહેલા ચોતરફી પ્રહારોનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. વટહુકમની કલમ 10માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આવનારા 180 દિવસની અંદર રાજ્યો તમામ લાભાર્થીઓની ઓળખ પ્રક્રિયા પૂરી કરી લે. આ વટહુકમનો અમલ શરૂ થાય ત્યાં સુધી જુની જ રાશન પદ્ધતિ અમલમાં રહેશે. આ માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ વટહુકમ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.
આ અંગે વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવી રહેલા પ્રશ્નો અંગે કોંગ્રેસના પ્રવક્તા અજય માકેન અને ખાદ્ય મંત્રી કે વી તોમસે સંયુક્ત રીતે જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે અનાજ કે ધનની કોઇ કમી નથી. બંને નેતાઓના જણાવ્યા અનુસાર વિપક્ષ જે દાવો કરી રહી છે કે ખાદ્ય સુરક્ષા કાયદાને પગલે સરકારી ખજાના પર કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે, તે સંપૂર્ણ સત્ય નથી. હકીકત એ છે કે આ યોજનાથી સરકારી ખજાના પર 23800 કરોડ રૂપિયોના બોજ પડશે.
કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે 6.12 કરોડ ટન અનાજની જરૂર પડશે. તેનાથી દેશની 81 કરોડ જનતાને લાભ મળશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
