સસ્તા અનાજ માટે હજી પણ છ મહિનાની રાહ જોવી પડશે

આ વટહુકમ પર વિપક્ષ તરફથી થઇ રહેલા ચોતરફી પ્રહારોનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. વટહુકમની કલમ 10માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આવનારા 180 દિવસની અંદર રાજ્યો તમામ લાભાર્થીઓની ઓળખ પ્રક્રિયા પૂરી કરી લે. આ વટહુકમનો અમલ શરૂ થાય ત્યાં સુધી જુની જ રાશન પદ્ધતિ અમલમાં રહેશે. આ માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ વટહુકમ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.
આ અંગે વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવી રહેલા પ્રશ્નો અંગે કોંગ્રેસના પ્રવક્તા અજય માકેન અને ખાદ્ય મંત્રી કે વી તોમસે સંયુક્ત રીતે જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે અનાજ કે ધનની કોઇ કમી નથી. બંને નેતાઓના જણાવ્યા અનુસાર વિપક્ષ જે દાવો કરી રહી છે કે ખાદ્ય સુરક્ષા કાયદાને પગલે સરકારી ખજાના પર કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે, તે સંપૂર્ણ સત્ય નથી. હકીકત એ છે કે આ યોજનાથી સરકારી ખજાના પર 23800 કરોડ રૂપિયોના બોજ પડશે.
કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે 6.12 કરોડ ટન અનાજની જરૂર પડશે. તેનાથી દેશની 81 કરોડ જનતાને લાભ મળશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
