વિદેશી વહૂએ દેશને બરબાદ કરી દિધો છે: બાબા રામદેવ

બાબા રામદેવનો ઇશારો યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફ હતો કારણ કે તે વિદેશી છે. બાબા રામદેવે કહ્યું હતું કે સોનિયા ગાંધી કદાચ દેશ પ્રથમ વહૂ હશે જે પોતાની સાસરીનો સામાન પોતાના પિયર એટલે ઇટલી મોકલી રહી છે.
બાબા રામદેવની તીખી ટિપ્પણી અહીં પૂર્ણ થઇ ન હતી તેમને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને પણ બાકાત રાખ્યા ન હતા. બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો તો નેહરૂ, લેડી માઉન્ટબેંટ સાથે પ્રેમના ગુલ ખીલાવી રહ્યાં હતા. જો જવાહરલાલ નહેરૂની જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન હોત તો આજે આવી દુર્દશાનો શિકાર ન થાત.
આટલું જ નહી ભષ્ટ્રાચાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવનાર બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસની નસ-નસમાં ફક્ત ભ્રષ્ટાચાર ભરેલો છે. તે શું દેશને આ બિમારીમાંથી મુક્ત કરશે.
અફઝલ ગુરૂ અને કસાબની ફાંસીને પણ બાબા રામદેવે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓની ફાંસીથી પોતાના વોટ મેળવવા માંગે છે. જો ખરેખર તે પ્રજાની હિતેચ્છું છે તો તેને પહેલાં જ બંને ફાંસીએ કેમ ન લટકાવ્યા?












Click it and Unblock the Notifications
