For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાર્મિક રાષ્ટ્રવાદની વાત કરવી એ રાષ્ટ્ર વિરોધી છે : કાત્જુ

|
Google Oneindia Gujarati News

markandey-katju
નાગપુર, 26 જુલાઇ : ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) માર્કન્ડેય કાત્જુએ શુક્રવારે નાગપુરમાં જણાવ્યું કે સૌથી પહેલા સૌ ભારતીયોને રાષ્ટ્રવાદી સમજવા જોઇએ. જે લોકો હિન્દુ, મુસ્લિમ, સિખ કે ઇસાઇ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે, તેઓ વાસ્તવમાં રાષ્ટ્રવિરોધી છે.

કાત્જુએ મીડિયા અને નાગરિકોને આગ્રહ કર્યો કે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત કરવામાં આવશે. પીસીઆઇ અધ્યક્ષે કોઇનું નામ લીધું ન હતું. જો તે જાહેરમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે હું હિન્દુ રાષ્ટ્રવાદી હોવાના નિવેદન સાથે સહમત નથી. કારણ કે આ નિવેદન વિભાજનવાદી છે. આ પ્રકારની વિભાજનકારી નીતિઓ દેશને ચલાવી શકતી નથી.

એક પુરસ્કાર સમારોહમાં ધર્મનિરપેક્ષતા વધારવામાં મીડિયાની ભૂમિકા વિષય પર બોલતા કાત્જુએ આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મીડિયા અને પ્રબુદ્ધ લોકોને ધર્મ, જાતિ, ક્ષેત્ર, ભાષા અને સંપ્રદાય જેવા વિભાજકારી કારકોનો સામનો કરવો જોઇએ.

English summary
Speak about religious nationalism is anti national : Katju
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X