ધાર્મિક રાષ્ટ્રવાદની વાત કરવી એ રાષ્ટ્ર વિરોધી છે : કાત્જુ

કાત્જુએ મીડિયા અને નાગરિકોને આગ્રહ કર્યો કે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત કરવામાં આવશે. પીસીઆઇ અધ્યક્ષે કોઇનું નામ લીધું ન હતું. જો તે જાહેરમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે હું હિન્દુ રાષ્ટ્રવાદી હોવાના નિવેદન સાથે સહમત નથી. કારણ કે આ નિવેદન વિભાજનવાદી છે. આ પ્રકારની વિભાજનકારી નીતિઓ દેશને ચલાવી શકતી નથી.
એક પુરસ્કાર સમારોહમાં ધર્મનિરપેક્ષતા વધારવામાં મીડિયાની ભૂમિકા વિષય પર બોલતા કાત્જુએ આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મીડિયા અને પ્રબુદ્ધ લોકોને ધર્મ, જાતિ, ક્ષેત્ર, ભાષા અને સંપ્રદાય જેવા વિભાજકારી કારકોનો સામનો કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
