Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડીએમકેએ આપી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી

karunanidhi
નવી દિલ્હી, 16 માર્ચ: શ્રીલંકામાં તમિલોની સાથે થઇ રહેલા ગેરવર્તણૂંકના મામલે સરકારની ટીકા કરનાર ડીએમકેએ હવે આજ મુદ્દે કેન્દ્રી મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી આપી છે. ડીએમકેનું કહેવું છે કે શ્રીલંકા સરકાર ત્યાં વસેલા તમિલોની સામે યુદ્ઘ અપરાધોની તપાસના નામે તેમની પર અત્યાચાર કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચની સામે આજ મહીનાની 21 તારીખે લિટ્ટેની સામે કાર્યવાહી દરમિયાન થયેલા નરસંહાર અને યુદ્ધઅપરાધને લઇને અમેરિકા એક પ્રસ્તાવ રજૂ કરશે, ડીએમકે આ પ્રસ્તાવમાં સંશોધન કરી શ્રીલંકા સમર્થિત નરસંહારની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ અને યુદ્ધ અપરાધિયોની ઓળખ છતી કરવાની માંગ કરી રહી છે. લોકસભામાં 18 સાંસદો ડીએમકેના હાલમાં 1 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી છે.

ડીએમકે ચીફ એમ. કરૂણાનિધિના એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે ભારતને યુએનના હ્યૂમન રાઇટ કમિશન દ્વારા કેટલીક એવી વ્યવસ્થા કરવાની દીશામાં કામ કરવું જોઇએ જેનાથી શ્રીલંકામાં તમિલોના નરસંહારની પણ તપાસ થઇ શકે અને દોષિયોની પણ ઓળખ છતિ થઇ શકે.

એમ કરૂણાનિધિએ પોતાના નિવેદમાં જણાવ્યું કે અમેરિકાના પ્રસ્તાવને લઇને ઘણા પ્રકારની વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર આ મામલામાં રૂચિ લે અને સંશોધન પ્રસ્તાવ લાવે. એવું એટલા માટે કારણ કે નરસંહાર કરનાર લોકો અને યુદ્ધ અપરાધિયોની નિષ્પક્ષ તપાસ કરાવી શકાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X