હિન્દીને લઇને ભાજપના સહયોગીયો પણ કરી રહ્યા છે મોદીનો વિરોધ
નવી દિલ્હી, 21 જૂન: હિન્દીને લઇને ઉઠેલો રાજનૈતિક વિવાદ હવે જોર પકડવા લાગ્યો છે. તમિલનાડુની મુખ્યમંત્રી જે જયલલિતાએ કેન્દ્રના એ નિર્દેશ પર આપત્તિ વ્યક્ત કરી છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું છે કે સરકારી વિભાગ સોશિયલ સાઇટ્સ પર હિન્દીનો પ્રયોગ કરે. જયલલિતા બાદ તમિલનાડુની અન્ય પ્રમુખ પાર્ટીઓએ પણ હિન્દીના વિરોધમાં અભિયાન છેડી દીધું છે. જેમાંથી બે ભાજપાની સહયોગી પાર્ટિયોનો પણ સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ સરકારી વિભાગ અને અધિકારી ફેસબુક, ટ્વિટર, બ્લોગ, યૂટ્યૂબ અને ગૂગલ જેવી સોશિયલ સાઇટ્સ પર હિન્દીના ઉપયોગને પ્રાથમિકતા આપે, અંગ્રેજી વૈકલ્પિક ભાષા છે.
જયલલિતાએ 1976, રાજભાષા નિયમનો હવાલો આપતા જણાવ્યું છે કે ભારતના ક્ષેત્ર-સીમાં રહેતા લોકો માટે સોશિયલ સાઇટ્સ પર સંવાદની ભાષા અંગ્રેજી જ રહેવી જોઇએ. તેમણે કેન્દ્રના આ નિર્દેશમાં પૂરતા સંશોધનની માંગ કરી છે. અને ફેરફારની વાત કરતા જણાવ્યું છે કે સોશિયલ સાઇટ્સ પર અંગ્રેજીનો પ્રયોગ સુનિશ્ચિત હોય. સાથે સાથે જયલલિતાએ તમિલનાડુની જનતા તરફથી તમિલને આધિકારિક ભાષા બનાવવાની માંગને ફરી હવા આપી છે.
બીજી બાજુ, પીએમકે અને એમડીએમકે, એનડીએના બે ઘટક દળ પણ નરેન્દ્ર મોદીના આ પગલાનો ભારે વિરોધ કરી રહી છે. પીએમકેના સંસ્થાપક એસ રામાદોસે તો ત્યાં સુધી કહી દીધું કે સંવિધાનની 8મી અનુસૂતિમાં પ્રસ્તાવિત તમામ 22 ભાષાઓને આધિકારિક કરી દેવામાં આવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોઇની પર પણ હિન્દી ભાષાનો પ્રયોગ થોપવો એ અયોગ્ય છે. જ્યારે એમડીએમકેના પ્રમુખ વાઇકોએ આને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે, જેનાથી તમિલનાડુના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ અંગ્રેજીને સુનિશ્ચિત કરવાની વાત કહી છે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ઉર્દૂ અને અંગ્રેજી જ આધિકારિક ભાષા છે.
વાંચો કોણે શું શું કહ્યું...

જયલલિતા, તમિળનાડુ મુખ્યમંત્રી
જયલલિતાએ 1976, રાજભાષા નિયમનો હવાલો આપતા જણાવ્યું છે કે ભારતના ક્ષેત્ર-સીમાં રહેતા લોકો માટે સોશિયલ સાઇટ્સ પર સંવાદની ભાષા અંગ્રેજી જ રહેવી જોઇએ. તેમણે કેન્દ્રના આ નિર્દેશમાં પૂરતા સંશોધનની માંગ કરી છે. અને ફેરફારની વાત કરતા જણાવ્યું છે કે સોશિયલ સાઇટ્સ પર અંગ્રેજીનો પ્રયોગ સુનિશ્ચિત હોય. સાથે સાથે જયલલિતાએ તમિલનાડુની જનતા તરફથી તમિલને આધિકારિક ભાષા બનાવવાની માંગને ફરી હવા આપી છે.

પીએમકેના સંસ્થાપક એસ રામાદોસ
પીએમકે અને એમડીએમકે, એનડીએના બે ઘટક દળ પણ નરેન્દ્ર મોદીના આ પગલાનો ભારે વિરોધ કરી રહી છે. પીએમકેના સંસ્થાપક એસ રામાદોસે તો ત્યાં સુધી કહી દીધું કે સંવિધાનની 8મી અનુસૂતિમાં પ્રસ્તાવિત તમામ 22 ભાષાઓને આધિકારિક કરી દેવામાં આવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોઇની પર પણ હિન્દી ભાષાનો પ્રયોગ થોપવો એ અયોગ્ય છે.

એમડીએમકેના પ્રમુખ વાઇકો
જ્યારે એમડીએમકેના પ્રમુખ વાઇકોએ આને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે, જેનાથી તમિલનાડુના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ અંગ્રેજીને સુનિશ્ચિત કરવાની વાત કહી છે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ઉર્દૂ અને અંગ્રેજી જ આધિકારિક ભાષા છે.












Click it and Unblock the Notifications
