Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુનંદા મર્ડર કેસ: પુરાવા નાશ કરવા બદલ ચાર નિશાના પર

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર હત્યા મામલામાં ચાર લોકો એસાઇટીના રડાર પર છે. એસઆઇટીને એવી આશંકા છે કે આ જ ચાર લોકોએ હોટેલના એ રૂમમાંથી પુરાવાઓનો નાશ કર્યો હતો જેમાં સુનંદા મૃત હાલમાં મળી આવી હતી. શરૂઆતી તપાસમાં એલપ્રોક્સ ટેબલેટની જે વાત સામે આવી રહી હતી, હવે એવું જાણવામાં આવી રહ્યું છે કે તે ટેબલેટને રૂમમાં લાવીને તપાસને ગેરમાર્ગે દોરવાની કોશીશ કરવામાં આવી રહી હતી. એસઆઇટીના અધિકારીઓની માનીએ તો રૂમમાંથી થોડી જરૂરી ચીજવસ્તુઓ હટાવવામાં આવી છે જેનાથી હત્યા પર પરદો ઢાંકી શકાય.

sunanda-pushkar
ચીજવસ્તુઓ હોટલમાંથી ગૂમ
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કર મર્ડરકેસમાં એસઆઇટીએ બુધવારે સંજય દિવાનનું નિવેદન નોંધવામાં આવ્યું. સંજય દિવાન સુનંદા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરના પારિવારિક મિત્ર છે. સંજયે જણાવ્યું કે સુનંદા જે સમયે (17 જાન્યુઆરી 2014)ના રોજ હોટલ લીલાોના સુઇટ નંબર-345માં મૃત મળી આવી હતી, સુઇટના બાજુવાળા ઓરડામાં શશિ થરૂર, ચાલક બજરંગી અને ઘરેલુ સહાયક નારાયણ સિંહની સાથે તેઓ પણ હાજર હતા. કોઇને પણ સુનંદાના મોતનો અણસાર પણ ના આવ્યો. એસઆઇટી એ પણ દાવો કરી રહી છે કે સુનંદાના મોત બાદ આરકે શર્મા, સંજય દિવાન, ડ્રાઇવર બજરંગી અને નારાયણ સિંહ રૂમમાં ગયા હતા ત્યારબાદથી જરૂરી ચીજવસ્તુઓ હોટલમાંથી ગૂમ છે.

sunanda-pushkar
સમજીવિચારીને હટાવવામાં આવ્યો સામાન
તપાસમાં એસઆઇટીને માલૂમ પડ્યું કે સુનંદાની મોત બાદ તેમના રૂમમાંથી કેટલોક સામાન ગાયબ છે. જેમાં સુનંદાના કપડા અને પગરખાનો પણ સમાવેશ થાય છે. એસઆઇટીનો દાવો છે કે આ ચાર વ્યક્તિઓએ જ આ વસ્તુઓ ગાયબ કરી છે. એસઆઇટીએ જણાવ્યું કે જેણે આ પુરાવા દૂર કર્યા તે ઊતાવળમાં હતો જેના કારણે એક ગ્લાસ પણ તૂટી ગયો.

sunanda-pushkar
હોટલ સ્ટાફે કબૂલ્યું કે ઓરડામાં જરૂરી સામાન નથી
હોટલના સ્ટાફે પણ એ વાતની કબૂલાત કરી છે કે જરૂરી સામાનની ઓરડામાં છેડછાડ કરવામાં આવી છે. એસઆઇટીએ જણાવ્યું કે હોટેલ સ્ટાફ અને સત્તાધીશો સાથેની પૂછપરછમાં એ વાત નક્કી થઇ ગઇ છે કે સુનંદાના ઓરડામાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.

sunanda-pushkar
સુનંદા મામલે હવે પત્રકારો સાથે થશે પૂછપરછ
સુનંદા પુષ્કરે મૃત્યું પહેલા 48 કલાક કેટલાંક પત્રકારો સાથે લાંબી વાતચીત કરી હતી. મામલાની તપાસ કરી રહેલી એસઆઇટી હવે એ પત્રકારોની પૂછપરછ કરશે. એક ટીવી પત્રકારે ટ્વિટર પર જણાવ્યું કે તેમને ગુરુવારે પૂછપરછ માટે સમન પાઠવવામાં આવ્યું છે. અન્ય બે મહિલા પત્રકારોને પણ બોલાવવામાં આવી છે.

sunanda-pushkar
સેન્ટ્રલ દિલ્હી પણ તપાસના ઘેરામાં
પોલીસને વધુ એક વાતની જાણ થઇ છે કે સુનંદા 15 જાન્યુઆરીના રોજ હોટેલમાં આવ્યા બાદ બીજા દિવસે ક્યાંક બહાર ગઇ હતી. તે કોની સાથે, ક્યાં અને કેમ ગઇ હતી, તેની તપાસ ચાલું છે.

sunanda-pushkar-
ગંભીર છે આઇપીએલ સાથે જોડાયેલ મામલો
સુનંદા પુષ્કર મર્ડર કેસમાં હવે આઇપીએલ કનેક્શન સામે આવી રહ્યો છે. કેસની તપાસ દરમિયાન જે સુનીલ સાહેબના હોટલ લીલામાં સુનંદાના ઓરડામાં હોવાની વાત કહેવામાં આવી હતી, તેની ઓળખ કરી લેવાઇ છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના નોકર નારાયણે પોતાના નિવેદનમાં પોલીસને કોઇ સુનિલ સાહેબનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સુનિલ સાથે પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સુનિલ સાથે પૂછપરછ બાદ સુનંદા મર્ડર કેસનું આઇપીએલ કનેક્શન સામે આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X