ભારતથી સુરક્ષિત દેશ શોધવામાં આમીરની કરો આ રીતે મદદ...
ભારતનું સંવિધાન દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાની આઝાદી આવે છે. સાથે જ સ્વતંત્ર રૂપે રહેવાની પણ આઝાદી આપે છે. ત્યારે જ્યારે બોલીવૂડ અભિનેતા આમીર ખાન જો ભારતમાં અસુરક્ષિત અનુભવ કરતા હોય તો દેશ છોડીને જવાના તેમના આ નિર્ણયનું સમર્થન જરૂરથી કરવું જોઇએ. કારણ કે આ તો તેમનો અધિકાર છે.
ઉપરોક્ત જે કંઈ પણ લખ્યું છે કંઇક તેવું જ કહેવા માંગે છે Change.ORGનો એક યુઝર. જેણે આમીર ખાન સામે એક કેમ્પેન ચાલુ કર્યું છે જેનું શીર્ષક છે. "Support Aamir Khan's decision to move out of India" એટલે કે ભારત છોડવા માટે આમિર ખાનના નિર્ણયનું સમર્થન કરો.

આ કેમ્પેન અંતર્ગત એક પિટિશન હેલ્પ આમિર નામના યુઝરમાં દાખલ કરવામાં આવી છે. જેમાં તમામ દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તે બધા મળીને ભારતથી સુરક્ષિત દેશ શોધવામાં અને ત્યાં જવામાં આમીર ખાનની મદદ કરે.












Click it and Unblock the Notifications
