For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના રાજદૂત પરથી હટાવાયો ભારત છોડવાનો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

envoy
નવી દિલ્હી, 2 એપ્રિલ: સુપ્રિમ કોર્ટે મંગળવારે ઇટાલીયન રાજદૂત દાનીલ માંચિનીના ભારત છોડવા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. ઇટાલીયન મરીન્સની સામેની સુનવણી માટે સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ટૂંક સમયમાં જ એક વિશેષ કોર્ટનું ગઠન કરવા જણાવ્યું છે. 2 એપ્રિલ સુધી દાનીલ માંચિનીના ભારત છોડવા પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે 14 માર્ચના રોજ ઇટલીના રાજદૂતને કહ્યું હતું કે તે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જઇ શકશે નહીં. ઇટલી સરકાર દ્વારા બે મરીન્સ માસીમિલાનો લાતોરો અને સાલ્વાતોર ગિરોને ભારત પરત મોકલવાની ના કહ્યા બાદ સુપ્રિમ કોર્ટે આ આદેશ સંભળાવ્યો હતો, પરંતુ હવે ઇટલીના રાજદૂતને રાહત મળી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના બંને મરિન્સ પર આરોપ છે કે 15 ફેબ્રુઆરી 2012ના રોજ અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડીને સમુદ્રી લુંટારા સમજીને તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં બે માછીમારોના મોત નિપજ્યાં હતા. આ મુદ્દે તેમના વિરૂદ્ધ અહીં કેસ ચાલી રહ્યો છે.

English summary
The Supreme Court on Tuesday vacated its order restraining Italy's ambassador Daniele Mancini from leaving India as the two Italian marines, accused of killing two fishermen, returned here to face the proceedings as per commitment given by him to the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X