અયોધ્યા કેસઃ મધ્યસ્થી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
અયોધ્યા કેસઃ મધ્યસ્થી મામલે કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવા માટે શુક્રવારે ફેસલો સંભળાવશે. જેમાં મધ્યસ્થી અને તેની દેખરેખને લઈ ફેસલો થશે જેથી તેનું સ્થાયી સમાધાન કાઢવામાં આવી શકે છે. જણાવી દઈએ કે અગાઉ બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કો્ટ આંતરીક વાતચીત દ્વારા વિવાદનો હલ કાઢવા પર જોરા આપી રહ્યા હતા.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની પીઠ કરી રહી છે. મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમને એ ચિંતા નથી કે મુગલ શાસક બાબરે શું કર્યું, તે બાદ શું થયું. અમે વર્તમાન હાલાત પર વાત કરી રહ્યા છીએ.
કોર્ટે કહ્યું કે અહીં મધ્યસ્થી થવાની જરૂરત નથી, પરંતુ મધ્યસ્થીની એક પેનલ છે. જ્યારે મધ્યસ્થી ચાલુ હોય તો તેના પર રિપોર્ટ ન કરી શકાય. જેના પર પ્રતિબંધ નથી, પરંતુ મધ્યસ્થી પ્રક્રિયા શરૂ થવા પર કોઈપણ ઉદ્દેશ્યને જવાબદાર ન ઠહેરાવવા જોઈએ. જણાવી દઈએ કે સુનાવણી દરમિયાન જ્યાં મુસ્લિમ પક્ષ અને હિંદુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા મધ્યસ્થી માટે તૈયાર દેખાયું.
પરંતુ હિંદુ મહાસભા અને રામલાલા પક્ષે આના પર સવાલ ઉઠાવ્યા. હિંદુ મહાસભાના વકીલોએ મધ્યસ્થીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારની કોશિશ પહેલા પણ થઈ શકી છે જે દરેક વખતે નાકામ રહી છે. પરંતુ બાબરી મસ્જિદ પક્ષે મધ્યસ્થી પર ચિંતા જતાવી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ આની દેખરેખ રાખે છે તો તેઓ તૈયાર છે.
આ પણ વાંચો- સરકારે જાહેર કર્યો 20 રૂપિયાનો સિક્કો, જાણો શું છે ખાસિયત












Click it and Unblock the Notifications
