SCનો મોટો ચુકાદો, 31 માર્ચ પહેલા વેચાયેલા BS-4 વાહનોનુ નહિ થાય રજિસ્ટ્રેશન
દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોના વેચાણ પર રોક મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે ફરીથી સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને BS-4 વાહનો પર આપેલા પોતાના જૂના આદેશને પાછો લઈ લીધો છે. કોર્ટે આ નવા
દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોના વેચાણ પર રોક મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે ફરીથી સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને BS-4 વાહનો પર આપેલા પોતાના જૂના આદેશને પાછો લઈ લીધો છે. કોર્ટે આ નવા ચુકાદા હેઠળ કહ્ય કે 31 માર્ચ બાદ વેચાયેલા BS-4 વાહનોનુ રજિસ્ટ્રેશન નહિ થાય. બુધવારે સુપ્રીમ કોર્ટે BS-4 વાહનોને વેચવા માટે ઑટોમોબાઈલ ડીલરોને લૉકડાઉન સમયમાં 10 દિવસનો સમય આપવાના પહેલાના આદેશને પાછો લઈ લીધો અને નિર્દેશ આપ્યા કે 10 દિવસો દરમિયાન વેચવામાં આવેલ વાહનોનુ રજિસ્ટ્રેશન નહિ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે 27 માર્ચે 10 દિવસનો વધુ સમય આપ્યો હતો કારકે ડીલરોના એસોસિએશને અનુરોધ કર્યો હતો કે તે લૉકડાઉન સમય દરમિયાન વાહનોને ન વેચી શકે કારણકે બીએમ 4 માનદંડ 1 એપ્રિલથી લાગુ થશે અને છ દિવસોનુ નુકશાન થશે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે આ કેસમાં અદાલતના આદેશ સાથે છેતરપિંડી કરવા માટે એસોસિએશનને ઝાટક્યુ છે.
આ પણ વાંચો: આર્થિક સંકટ પર ચેતવવા પર ભાજપે ઉડાવી હતી મજાકઃ રાહુલ ગાંધી