કાવેરી જળ વિવાદ : SCનો નિર્ણય તમિલનાડુને પાણીનો કાપ
સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ પર તમિલનાડુના પાણી કાપ અને કર્ણાટકને લાભ આપ્યો છે. ત્યારે શું છે આ વિવાદ વિગતવાર જાણો અહીં. સાથે જ જાણો સુપ્રીમ કોર્ટનો આ પરનો ચુકાદો.
સુપ્રિમ કોર્ટે કાવેરી નદી જળ વિવાદ મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેઠકે તમિલનાડુને 177.25 TMC (thousand million cubic) પાણી આપવાનો આદેશ કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી તમિલનાડુને મળતા પાણીમાં 15 TMCની કપાત કરવામાં આવી છે. આ પહેલાના આદેશમાં 192 TMC પાણી આપવાનો આદેશ હતો. આ નિર્ણયમાં કર્ણાટકને વધારાનું 14.75 TMC પાણી આપવાની વાત કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય બે મુખ્ય બિંદુઓ પર કર્યો છે. જેમાં બેંગલુરુમાં પાણીની તકલીફ અને તમિલનાડુમાં 20 TMC અંડર ગ્રાઉન્ડ વોટર પહેલાથી જ હોવાની વાત પર ખાસ આધાર રાખવામાં આવ્યો છે.













Click it and Unblock the Notifications
