કોંગ્રેસ સાંસદે સૂર્યનેલ્લી રેપ પીડિતાને 'વૈશ્યા' કહ્યું

વાતચીત દરમિયાન જ્યારે સૂર્યનેલ્લી મામલે તેમને સવાલ કરતા તેમણે બળાત્કાર પીડિતાને વૈશ્યા ગણાવી અને કહ્યું કે તે રૂપિયા પડાવતી હતી અને ગિફ્ટ લેતી હતી. સુધાકરનની આ ટિપ્પણી બાદ રાજકિય વિવાદ ચગ્યો છે. કોંગ્રેસની જ મહિલા નેતાઓ સહિત અન્ય દળોની મહિલાઓએ પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
સુધાકરનની ટિપ્પણી પર કોંગ્રેસની રાજ્ય અધ્યક્ષ બિંદુ કૃષ્ણાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સુધાકરનની ટિપ્પણી એ મહિલાઓનું અપમાન છે. માકપાની રાજ્યસભા સદસ્ય ટીએન સીમાએ કહ્યું કે રાજ્ય સરકારે તેમની સામે ફરિયાદ દાખલ કરવી જોઇએ. જ્યારે સીપીએમની નેતા વૃંદા કરાતે જણાવ્યું કે આ નિવેદનથી સુધાકરનની માનસિકતાનો ખ્યાલ આવે છે.












Click it and Unblock the Notifications
