શિંદેએ લીધું બળાત્કારનો ભોગ બનેલી સગીરા બહેનોનું નામ
શિંદે દ્વારા બળાત્કાર પીડિતાનું નામ લેવામાં આવતા સદનમાં નેતા વિપક્ષ અરૂણ જેટલીએ આપત્તિ વ્યક્ત કરી, જો કે, ઉપસભાપતિએ સ્પષ્ટ કરી દીધું કે મંત્રીનું નિવેદન સદનની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવશે.
સંસદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે એ આ મામલે કહ્યું કે, એવું પ્રતીત થાય છે કે ત્રણેય સગીરાઓની હત્યા પહેલા તેમની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું, સદનની સામૂહિક ભાવનાને તેનાથી ગંભીર ઝટકો પહોંચ્યો છે. શિંદેએ સદનમાં જે લેખિત નિવેદન વાચ્યું, તેમાં સગીરાઓના નામનો ઉલ્લેખ હતો, જેના કારણે ભાજપે તેની કડક શબ્દોમાં ટીકા કરી, કાયદા અનુસાર યૌન શોષણનો ભોગ બનેલી સગીરાઓનું નામ જાહેર કરવામાં આવવું ના જોઇએ.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ત્રણ સગીરા બહેનો સાથે બળાત્કાર બાદ તેમની હત્યા કરવાના મામલે બે અઠવાડિયા પછી પણ કોઇ ધરપકડ કરવામાં આવી નથી, સગીરાઓની ઉમર છ, નવ અને 11 વરષ હતી. 14 ફેબ્રુઆરીએ તેઓ લાપતા હતી અને બાદમાં તેમનો મૃતદેહ કુવામાથી મળ્યો હતો. પોલીસે શરૂઆતમાં આ મામલાને અકસ્માતે મોતના રૂપમાં દાખલ કર્યો હતો, પરંતુ લોકોએ જોરદાર વિરોધ કરતા બાદમાં સગીરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમા તેમના પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું.
જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાશે
જો કે, શિંદેએ પોતાના નિવેદનને પરત લઇ લીધું છે, બળાત્કાર પીડિતાઓના નામ લેવા અંગે શિંદેએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવશે, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.