શિંદેએ લીધું બળાત્કારનો ભોગ બનેલી સગીરા બહેનોનું નામ

શિંદે દ્વારા બળાત્કાર પીડિતાનું નામ લેવામાં આવતા સદનમાં નેતા વિપક્ષ અરૂણ જેટલીએ આપત્તિ વ્યક્ત કરી, જો કે, ઉપસભાપતિએ સ્પષ્ટ કરી દીધું કે મંત્રીનું નિવેદન સદનની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવશે.
સંસદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે એ આ મામલે કહ્યું કે, એવું પ્રતીત થાય છે કે ત્રણેય સગીરાઓની હત્યા પહેલા તેમની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું, સદનની સામૂહિક ભાવનાને તેનાથી ગંભીર ઝટકો પહોંચ્યો છે. શિંદેએ સદનમાં જે લેખિત નિવેદન વાચ્યું, તેમાં સગીરાઓના નામનો ઉલ્લેખ હતો, જેના કારણે ભાજપે તેની કડક શબ્દોમાં ટીકા કરી, કાયદા અનુસાર યૌન શોષણનો ભોગ બનેલી સગીરાઓનું નામ જાહેર કરવામાં આવવું ના જોઇએ.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ત્રણ સગીરા બહેનો સાથે બળાત્કાર બાદ તેમની હત્યા કરવાના મામલે બે અઠવાડિયા પછી પણ કોઇ ધરપકડ કરવામાં આવી નથી, સગીરાઓની ઉમર છ, નવ અને 11 વરષ હતી. 14 ફેબ્રુઆરીએ તેઓ લાપતા હતી અને બાદમાં તેમનો મૃતદેહ કુવામાથી મળ્યો હતો. પોલીસે શરૂઆતમાં આ મામલાને અકસ્માતે મોતના રૂપમાં દાખલ કર્યો હતો, પરંતુ લોકોએ જોરદાર વિરોધ કરતા બાદમાં સગીરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમા તેમના પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું.
જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાશે
જો કે, શિંદેએ પોતાના નિવેદનને પરત લઇ લીધું છે, બળાત્કાર પીડિતાઓના નામ લેવા અંગે શિંદેએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવશે, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
