Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જગદગુરૂ કૃપાલુજી મહારાજના નિધન પર સસ્પેન્સ

નવી દિલ્હી, 14 નવેમ્બર: અલ્હાબાદના જગદગુરૂ કૃપાલુજી મહારાજનું ગુડગાંવના એક ખાનગી હોસ્પિટલમાં નિધનને લઇને રહસ્ય બનેલું છે. હોસ્પિટલના વહિવટીતંત્રએ શ્રી કૃપાલુજી મહારાજના નિધન પર કંઇક પણ કહેવાની મનાઇ કરી દિધી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૃપાળુ મહારાજ પ્રતાપગઢ સ્થિત પોતાના આશ્રમમાં લપસી પડ્યા હતા જેથી તેમને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને ગુડગાંવના એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમના મોતને લઇને વિરોધાભાસી સમાચારો આવી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના એક નાના ગામમાંથી 1922માં જન્મેલા કૃપાલુજી મહારાજની ખ્યાતિ દેશ-વિદેશ સુધી ફેલાયેલી છે. પોતાને કૃષ્ણ અને ચૈતન્ય પ્રભુનો અવતાર અને જગદગુરૂ બતાવનાર કૃપાલુ મહારાજને લઇને વિવાદ પણ ઉભા થયા હતા.

jagadguru-kripalu-maharaj

શ્રી કૃપાલુ મહારાજ, જગદગુરૂ કૃપાલુ પરિષદના સંસ્થાપક સંરક્ષક પણ રહ્યાં હતા. તેમને હિન્દુ ધર્મની શિક્ષા અને યોગ માટે ભારતમાં 4 અને અમેરિકામાં 1 કેન્દ્રની સ્થાપના કરી હતી. વારાણસીના કાશી વિદ્ધત પરિષદે શ્રી કૃપાલુ મહારાજને 34 વર્ષની ઉંમરમાં મકર સંક્રાતિ (14 જાન્યુઆરી 1957)ના રોજ જગતગુરૂની ઉપાધિ આપવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X