Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વામી અગ્નિવેશ સાથે થઇ મારપીટ

Swami-Agnivesh
ભોપાલ, 1 ડિસેમ્બર: સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે કાલે ભોપાલમાં એક સ્થાનિક સંગઠનના લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. આ ઘટના એ સમયે થઇ જ્યારે ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી જયરામ રમેશ પણ ત્યાં હાજર હતા. સંગઠનના લોકોનું કહેવું હતુ કે સ્વામી અગ્નિવેશે થોડા દિવસ પેલા હિન્દુઓના દેવતા 'ભગવાન શિવ' અંગે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વચ્ચે પડી સ્વામી અગ્નિવેશને ત્યાંથી સુરક્ષિત બહાર નિકાળ્યા.

આ અંગે સંસ્કૃતિ બચાવ મંચના સંયોજક ચન્દ્ર શેખર તિવારીએ કહ્યું કે અમે એવી એકપણ વ્યક્તિને નહીં છોડીએ જે ભગવા ધારણ કરીને હિન્દુ દેવતાઓનું અપમાન કરે છે. મંચના કાર્યકર્તાઓએ તેમની પાઘડી હટાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના ભગવા કપડાને પણ હટાવી દીધો.

સંયોજકે કહ્યું કે જે પણ વ્યક્તિ ભગવા કપડા પહેરે છે તેને આપણા દેશના લોકો મોટા સન્માનની નજરે જૂએ છે. તેવામાં આ લોકોએ દેવી-દેવતાઓ વિરુદ્ધ આ પ્રકારની વાતો ના કરવી જોઇએ. જો તે લોકો આવું કરશે તો તેમને માફ કરવામાં નહીં આવે.

આ ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા અગ્નિવેશે કહ્યું કે મારો ઉદ્દેશ્ય કોઇને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સ્વામી અગ્નિવેશ એક સમાજસેવક છે જે થોડોક સમય અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલેલા અભિયાનમાં જોડાયા હતા. પરંતુ આંતરિક મતભેદો અને વિવાદોના કારણે તેઓ ટીમ અણ્ણાથી અલગ થઇ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X