..તો તાલિબાનના નિશાના પર હોઇ શકે છે ભારત: નારાયણ
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે. નારાણાયણે સોમવારે જણાવ્યું કે જો અફઘાનિસ્તાનમાં પોતાની આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી રહેલા તાલિબાન જેવા આતંકવાદી સંગઠન ત્યાં સત્તામાં આવી જશે તો તેમના નિશાના પર પહેલું ભારત રહેશે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે જણાવ્યું કે ખાસપ્રકારે ચિંતાની વાત એ છે કે પાકિસ્તાન 'હાઇ રિસ્ક'વાળી રણનીતિથી દૂર જવામાં રસ નથી દાખવી રહ્યું અને એવું લાગે છે કે તે ભારતમાં અસંતુલનની સ્થિતિ બનાવી રાખવા માટે જેહાદી તત્વોનું સમર્થન કરવા માટે અડગ છે.
નારાયણે જણાવ્યું કે ભારતની સ્થિતિને જોતા તપાસ કરવી સરળ છે કે આતંકવાદથી ખતરો પડોશના અસ્થિર અને મુશ્કેલ હાલાત પર કેટલું નિર્ભર છે.













Click it and Unblock the Notifications
