'શારીરિક સંબંધ છુપાવવા માટે કરવામાં આવી હતી આરૂષિના ગુપ્તાંગોની સફાઇ'
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: સીબીઆઇએ આરૂષિ કેસની સુનાવણી કરી રહેલી વિશેષ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે અપરાધ સ્થળની સંપૂર્ણ રીતે સફાઇ કરવામાં આવી હતી અને કિશોર છોકરીની લાશને ડૉક્ટર દંપતિ રાજેશ અને નૂપૂર તલવારે અપરાધની રાતે સાફ કર્યા હતા.
વિશેષ સીબીઆઇ ફરિયાદી આર કે સૈનીએ કહ્યું હતું કે 'અપરાધ સ્થળની સફાઇ કરવામાં આવી હતી, જે પથારી પર આરૂષિ મળી આવી હતી તેના પર એકપણ સળ ન હતા.' સીબીઆઇએ એ પણ દલીલ કરી હતી કે સેવા પુરી પાડનાર ઇન્ટરનેટ રાઉટરને અપરાધની રાત્રે ખોલ બંધ કરવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે તલવાર દંપતિ જાગતા હતા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હતા અને તે આરૂષિના રૂમમાં થઇ રહેલી ઘટનાઓ વિશે જાણતા હતા.
કેસની અંતિમ દલીલના ત્રીજા દિવસે સૈનીએ કહ્યું હતું કે જે ચાદર પર આરૂષિની લાશ પડી હતી તેના પર ભીનાપણાના દાગ જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે તેના ગુપ્તાંગોની પણ સફાઇ કરવામાં આવી હતી. સીબીઆઇની કહાણી અનુસાર આરૂષિનો હેમરાજની સાથે શારિરીક સંબંધ હતો અને નૂપૂરે આ તથ્યોને સંતાડવા માટે તેના ગુપ્તાંગોને પણ સાફ કર્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર ક્લિક કરતાં જાવ
હત્યાની રાત્રે તેને શારિરીક સંબંધ બનાવ્યો હતો
સૈનીએ કહ્યું હતું કે ડૉ. સુનીલ દોહરેએ આરૂષિનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તેમને કહ્યું હતું કે હત્યાની રાત્રે તેને શારિરીક સંબંધ બનાવ્યો હતો. તેનાપર પોતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નહી કરવા માટે દબાણ નાખવામાં આવ્યું હતું. સૈનીએ કોર્ટને કહ્યું હતું કે 'રાજેશના મોટા ભાઇ દિનેશે પોતાના સાથે ડૉક્ટર સુશીલ ચૌધરીને ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રભાવશાળી પોલીસ અધિકારીના ગૌતમ રિપોર્ટથી 'બળાત્કાર' શબ્દ દૂર કરવા માટે કહ્યું હતું.'
હેમરાજના ડીએનએ મેળખાય છે
સૈનીએ કહ્યું હતું કે 'એ પ્રમાણે લોહીના દાગવાળા હાથના નિશાનથી લેવામાં આવેલા હેમરાજના ડીએનએ આ બોટલથી લેવામાં આવેલા ડીએનએ સાથે મળી આવે છે.' તેમને કહ્યું હતું કે આ સીબીઆઇની કહાણીનું સમર્થન કરે છે કે આરૂષિ અને હેમરાજનો હત્યારા કોઇ બહારની વ્યક્તિ ન હતી. તેમને કહ્યું હતું કે હેમરાજની લાશ આરૂષિના રૂમમાંથી ખેંચીને ધાબા પર લાવવામાં આવી હતી. જ્યાં એક કુલર પેનલથી ઢાંકીને રાખવામાં આવી હતી અને ધાબા પર જવાવાળા દરવાજા તાળું લાગેલું હતું.
સીબીઆઇની કહાણીનું સમર્થન
ફરિયાદી પક્ષે કહ્યું હતું કે તલવાર દંપતિના ઘર પર બીજા દિવસે સવારે ડોક્ટરો રોહિત કોચર અને રાજીવ વાષર્ણેયે કહ્યું હતું કે તેમને ધાબા દરવાજાના તાળા, રેલિંગ અને સીડીઓ પર લોહીના દાગ મળી આવ્યા હતા, તેમને કહ્યું હતું કે બંનેએ સીડીઓ પર લૂછેલા લોહીના દાગ પણ જોયા હતા જે સીબીઆઇની કહાણીનું સમર્થન કરે છે કે હેમરાજની લાશ ચાદરમાં વીટ્યા બાદ તલવાર દંપતિ ખેંચીને ધાબા પર લઇ ગયા.
તાળા, રેલિંગ પર લોહીના દાગ મળ્યા
ત્યારબાદ નોઇડાના તાત્કાલિન વધારાના જજ સંજય ચૌહાણે પણ ધાબાના દરવાજા પર લાગેલા તાળા, રેલિંગ પર લોહીના દાગ મળ્યા હતા. વધારાની સત્ર કોર્ટના જજ શ્યામલાલની કોર્ટે સીબીઆઇ દ્વારા આગામી દલીલોની તારીખ 17 ઓક્ટોબર નક્કી કરી છે.