તેલંગાણા: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 10 લોકોની મૌત, ઘણા ઘાયલ
તેલંગાણાના વારંગલ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 10 લોકોની મૌત થઇ ચુકી છે. આ ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાની પણ ખબરો આવી રહી છે.
તેલંગાણાના વારંગલ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 10 લોકોની મૌત થઇ ચુકી છે. આ ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાની પણ ખબરો આવી રહી છે. ફેક્ટરીની ભીષણ આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ જગ્યા પર આવી ચુકી છે.
આ મામલે જાણકારી આપતા વારંગલ જિલ્લા કલેક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આગ પર કાબુ મેળવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં 4 ફાયરબ્રિગેડ ગાડીઓ ત્યાં લગાવી દેવામાં આવી છે.
#Telangana 10 people dead in fire at a firecracker godown near Koti Lingala Temple, 4 fire tenders present at the spot: Collector, Warangal District
— ANI (@ANI) July 4, 2018
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બની શકે કે ફટાકડા બનાવવામાં વપરાયેલો કોઈ પ્રદાર્થ વિસ્ફોટ થયો હોય. આસપાસના લોકો ઘ્વારા જણાવ્યા અનુસાર ઘટના વિશે હજુ સુધી પણ કઈ કહી શકાય નહીં.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. હજુ સુધી બધા જ મૃતકોની ઓળખ પણ નથી થઇ શકી. આગના કારણે ઘણા લોકોના શરીર બિલકુલ બળી ગયા છે.
#SpotVisuals: 10 people dead in fire at a firecracker godown near Koti Lingala Temple, 4 fire tenders present at the spot: Collector, Warangal District pic.twitter.com/Oj5rYsJtoO
— ANI (@ANI) July 4, 2018
એક રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે ફેકટરીમાં 25 લોકો કામ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણકે હજુ પણ ઘણા લોકો લાપતા જણાવવામાં આવી રહ્યા છે.