તેલંગાણા મુદ્દે કોંગ્રેસ કોર ગ્રુપની આજે મહત્વની બેઠક
હૈદરાબાદ, 12 જુલાઇ : તેલંગણાના મહત્વના મુદ્દા પર આજે શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાનારી બેઠકમાં શું નિર્ણય લેવાશે તેનો આંધ્રપ્રદેશના લોકોને ભારે ઇંતેજારી છે. તેલંગાણા અને બિનતેલંગાણા વિસ્તારોના કોંગ્રેસ નેતા આજે દિલ્હીમાં જ છે જેથી કરીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પોતાના હિતોમાં વાત કરી શકે.
મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બોત્સા સત્યનારાયણ અને ઉપમુખ્યમંત્રી સી. દામોદર રાજનરસિમ્હા આજે દિલ્હી જવા માટે રવાના થયા છે. તેલંગાણા અને બિન તેલંગાણા વિસ્તારોથી રાજ્યના મંત્રીઓ પણ દિલ્હીમાં છે અને તેમણે કોંગ્રેસ મહાસચિવ અને આંધ્રપ્રદેશ મામલાના પાર્ટી પ્રભારી દિગ્વિજય સિંહ સાથે મુલાકાત કરશે જેથી અલગ રાજ્યની માંગ અને અવિભાજિત આંધ્ર પ્રદેશની પોત-પોતાની માંગો પર દબાણ બનાવી શકે.
કોર ગ્રુપ સામાન્ય રીતે દર શુક્રવારે પ્રધાનમંત્રીના અધિકારીક આવાસ સ્થળે યોજવામાં આવે છે, અને સરકારની સામે આવનાર પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જોકે રાહુલ ગાંધીને પણ કોર ગ્રુપના સભ્ય બનાવવાની અટકળો છે.