For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે કોંગ્રેસ કોર ગ્રુપની આજે મહત્વની બેઠક

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 12 જુલાઇ : તેલંગણાના મહત્વના મુદ્દા પર આજે શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાનારી બેઠકમાં શું નિર્ણય લેવાશે તેનો આંધ્રપ્રદેશના લોકોને ભારે ઇંતેજારી છે. તેલંગાણા અને બિનતેલંગાણા વિસ્તારોના કોંગ્રેસ નેતા આજે દિલ્હીમાં જ છે જેથી કરીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પોતાના હિતોમાં વાત કરી શકે.

મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બોત્સા સત્યનારાયણ અને ઉપમુખ્યમંત્રી સી. દામોદર રાજનરસિમ્હા આજે દિલ્હી જવા માટે રવાના થયા છે. તેલંગાણા અને બિન તેલંગાણા વિસ્તારોથી રાજ્યના મંત્રીઓ પણ દિલ્હીમાં છે અને તેમણે કોંગ્રેસ મહાસચિવ અને આંધ્રપ્રદેશ મામલાના પાર્ટી પ્રભારી દિગ્વિજય સિંહ સાથે મુલાકાત કરશે જેથી અલગ રાજ્યની માંગ અને અવિભાજિત આંધ્ર પ્રદેશની પોત-પોતાની માંગો પર દબાણ બનાવી શકે.

rahul gandhi
જ્યારે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોર ગ્રુપની બેઠમાં ભાગ લઇ શકે છે જેમાં તેલંગાણાના નિર્માણ માટે જટિલ મુદ્દા પર ઠોસ વિચાર વ્યક્ત કરી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જયપૂરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં રાહુલને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસની ગ્રુપની આ પહેલી બેઠક છે જેમાં રાહુલ પણ ભાગ લેશે.

કોર ગ્રુપ સામાન્ય રીતે દર શુક્રવારે પ્રધાનમંત્રીના અધિકારીક આવાસ સ્થળે યોજવામાં આવે છે, અને સરકારની સામે આવનાર પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જોકે રાહુલ ગાંધીને પણ કોર ગ્રુપના સભ્ય બનાવવાની અટકળો છે.

English summary
Telangana decision soon : Congress core committee meets today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X