જમ્મુ અને કાશ્મીરના કિશ્તાડમાં આતંકી હુમલો, 1નું મોત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તાડમાં આતંકી હુમલો, 1નું મોત
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી હુમલો થયો છે અે તેમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલો ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની બહાર થયો છે. આ હુમલામાં મેડિકલ આસિસ્ટન્ટ ચંદરકાંત શર્મા ઘાયલ થયા છે. હુમલામાં તેમના પીએસઓનું મૃત્યુ થયું છે. ચંદ્રકાંત શર્મા આરએસએસ સાથે જોડાયેલા છે. હુમલા બાદ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. કિશ્તવાડમાં 18 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે.
શર્મા પર કોણે હુમલો કર્યો, તે અંગે હજુ સુધી કંઈ જ માલુમ પડ્યું નથી. અટેક બાદ કિશ્તવાડમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ હુમલાખોરોએ ચંદ્રકાંત શર્મા પર અચાનક અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ચંદ્રકાંત ચંદ્રકાંત ઈજાગ્રસ્ત થયા છે જ્યારે તેમની સાથે હાજર પીએસઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પીએસઓ જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ હતા.
આ પણ વાંચો- દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ