Kashmir: અતિક્રમણ અભિયાન પર આતંકવાદી સંગઠનની ધમકી, રાજસ્વ વિભાગના કર્મચારીઓને બનાવશે નિશાન
આતકંવાદી સંગઠન TRF એ અતિક્રમણ પરની કાર્યવાહી કરનાર અધિકાીરીઓે ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે, તે રાજસ્વ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવશે.
આતંકવાદી સંગઠન ધી રેજિસ્ટેસ ફ્રન્ટ TRF એ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવો અભિયાનને લઇને ધમકી આપી છે. તેમણે સાત મુદ્દાની ચેવણીની જાહેરાત કરતા કહ્યુ કે, જે પણ અધિકારી આ અભિયાનામં સામેલ થશે. તેને TRF નિશાન બનાવશે. આ સિવાય અતિક્રમણને હટાવાર જેસીબીના માલિક અે ડ્રાઇવરને પણ નિશાન બનાવામાં આવશે.
ધમકી ભરેલા પત્રમાં TRF એ કહ્યુ છે કે, તેમની સમર્થકોની સંપતિને નષ્ટ કરી દેવામાં આવી અને અધિકારીઓ મકદર્શક બની રહ્યા. પરંતુ તે ચુપ રહેશે નહી. અતિક્રમણના નામ પર કોઇનું ઘર પાડી દેવામા આવ્યુ તો રાજસ્વ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવીને મારી નાખશે. પટાવાળાથી લઇને ડીસી સુધીના તમામ રાજસ્વ વિભાગા તેમના ટાર્ગેટ પર છે.
આતંકવાદ સંગઠને આગળ વધુમાં જણાવ્યુ છે કે, સરકારી અધિકારીઓ જ સાચા અપરાધી છે. એટલે જનતાએ તેમના ઘરોને આગ લગાવી દેવી જોઇએ. તે આ હૂમલાનું સમર્થન કરશે અને તેની જવાબદારી લેશે. આ સિવાય અધિકારીઓ વિરુદ્ધ આક્રમક થનાર જનતાને રેજિસ્ટેંસ ફાટિર્સ રેન્ક આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, અતિક્રમણ સામે અભિયાન ચાલી રહ્યુ છે. જે અનુસાર અધિકારીઓએ શનિવારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આશિફ નેગરુના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યુ હતુ. આરોપ છે કે, તે ઘર વાળાએ સરકારી જમીન પર અતિક્રમણ કરી નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ સિવાય પહલગામના લેવાર ગામમાં આતંકવાદી સમૂહે હિજબુલ મુજાહિદીનના કમાંડર આમિર ખાનની એક ઇમારને ધ્વસ્ત કરી દિધી હતી.