ધ ઇંડિયન એક્સપ્રેસનો દાવો, સરકાર નહિ આપે સર્જીકલ સ્ટ્ર્રાઇકનો પુરાવો
જે દિવસથી ઇંડિયન આર્મીએ પાક અધિકૃત કાશ્મીર પર સર્જીકલ સ્ટ્ર્રાઇક કર્યુ છે, તે દિવસથી જ તેના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. પહેલા પાકિસ્તાન તેની માંગણી કરી રહ્યુ હતુ અને ત્યારબાદ દેશના અમુક નેતાઓએ તેની માંગ કરી દીધી. ત્યારબાદ સમાચાર મળ્યા હતા કે ભારત સરકાર આ બાબતમાં વિચાર કરી રહી છે અને કદાચ લોકો સામે પુરાવા પણ આપી શકે.

પરંતુ હવે અંગ્રેજી વર્તમાનપત્ર " ધ ઇંડિયન એક્સપ્રેસ " એ દાવો કર્યો છે કે સરકાર એવુ કંઇ જ કરવાની નથી. પેપરમાં છપાયેલ સમાચાર અનુસાર મોદી સરકારે નિર્ણય લીધો છે કે તેઓ સર્જીકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા રજૂ નહિ કરે અને ભારત યુદ્ધની તૈયારી પણ નથી કરી રહ્યુ. પરંતુ તે પાકિસ્તાનની દરેક નાપાક હરકતને મુહતોડ જવાબ જરુર આપશે.
ઉલ્લેખનીય છે કે 28-29 સપ્ટેમ્બરની રાત્રે ભારતીય કમાંડોઝે પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓના લૉંચ પેડ્સને નિશાન બનાવ્યા હતા. જેમાં ઘણા આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે. અમુક રિપોર્ટમાં તો એવુ પણ કહેવાયુ છે કે સર્જીકલ સ્ટ્રાઇકમાં લશ્કરના 20 આતંકવાદી માર્યા ગયા હતા જેના કારણે લશ્કર અકળાયેલુ છે.












Click it and Unblock the Notifications
