શરદ પવારની દીકરીએ મોદીની તુલના દીપડા સાથે કરી!
એનસીપી પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયાએ મોદીનું નામ લીધા વગર જણાવ્યું કે દીપડો ક્યારેયપણ પોતાની પર લાગેલા ડાઘ હટાવી શકતો નથી. પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે 'શુરૂઆતમાં એવું લાગ્યું હતું કે તેમનું અભિયાન વિકાસ-કેન્દ્રીત હશે પરંતુ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તે કેવું હશે.'
ઉલ્લેખનીય છે કે ભાજપાની મુંબઇ એકમે પાર્ટી ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના પોસ્ટર આખા શહેરમાં લગાવી દેવામાં આવ્યા છે જેમાં 'હિન્દુ રાષ્ટ્રવાદી' દેશભક્ત તરીકે દર્શાવવામાં આવ્યા છે.
જ્યારે મુંબઇ ભાજપાના અધ્યક્ષ આશીષ શેલારને પૂછવામાં આવ્યું કે શું આ મોદીનું કદ ખૂબ જ મોટું દર્શાવવાની કવાયત છે તો તેમણે જણાવ્યું કે 'અમે રાજનાથજી, અડવાણીજી માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે અને હવે મોદીજી માટે ચલાવી રહ્યા છે. અમે અમારા દરેક નેતાઓને મતદાતાઓ સુધી પહોંચાડીશું. એ જ મારુ કામ છે અને તે અમે કરીશું. શાસન અને વિકાસ મુખ્ય મુદ્દા છે અને અમે તેની પર પણ કામ કરીશું.'