અહીં ક્યાં છે નરેન્દ્ર મોદીની 'લહેર' : મુરલી મનોહર જોશી
કાનપુર, 14 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેખાઇ રહી નથી અથવા તો તેઓ આ હકીકતને ગળે ઉતારી શકતા નથી. તેઓ નરેન્દ્ર મોદીની દેશવ્યાપી લહેર ઉઠી છે તેને માનવા માંગતા નથી. આ સ્થિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં જોવા મળી રહી છે.
આ વરિષ્ઠ નેતાઓ પૈકી મુરલી મનોહર જોશીએ કાનપુરમાં એક રેલીમાં જણાવ્યું કે 'અહીં ક્યાં દેખાય છે નરેન્દ્ર મોદીની લહેર? અહીં તો ભાજપની લહેર છે. આ વખતે દિલ્હીમાં મોદી નહીં એનડીએની સરકાર રચાશે. મોદી તો એક ઉમેદવાર માત્ર છે.'

તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીને દેશભરના નેતાઓનો ટેકો મળી રહ્યો છે. આમ થવામાં ભાજપની મદદ મળી છે, નહીં કે મોદીની. જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ જીતશે તો ગુજરાતને મોડેલને એનડીએ મોડેલ તરીકે અમલી બનાવવામાં આવશે નહીં.
જોશીએ એમ પણ જણાવ્યું કે પૂર્વ ભાજપ નેતા જસવંત સિંહને બાડમેર સંસદીય મત વિસ્તારમાંથી ટીકિટ આપવાનો ઇનકાર કરવાનો નિર્ણય સામુહિક નિર્ણય ન હતો. આ નિર્ણય ચર્ચા કરીને લેવામાં આવ્યો ન હતો. આ મુદ્દાને અલગ રીતે હાથ પર લેવાની જરૂર હતી. તેમણે જણાવ્યું કે ભાજપની લહેર ભલે જનસભાઓમાં જોવા મળી રહી હોય પરંતુ પાર્ટીની અંદર ચૂંટણી પહેલાથી જ ગોળીબાર થઇ રહ્યો છે. સમયાંતરે ભાજપના નેતાઓ જ પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણને જાહેરમાં કહી જણાવે છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ





Click it and Unblock the Notifications
